Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૬ સુ.
પરિવ્રાજક ચાણાક્ય.
મયૂર નગરમાં માર્યાનું રાજ્ય—
હિમાલય પર્વતની ટેકરીઓની નજદિકના પ્રદેશમાં મયૂર નામનુ એક રાજ્યનગર હતું. તેની ચારે ખાજુએ પતાની શ્રેણી, નાચતા મારના ખીલેલ પટધારી પંખ જેવી હરિયાળી વૃક્ષરાજી અને ઘટાએથી ભરપૂર હતી. ત્યાં મયૂરાના કોલાહલ અને મધુર ધ્વનિ નિત્ય કનેિ આન ંદિત કરતા હતા, જેના પરિણામે આ નગરીનું નામ મયૂરનગરી પડ્યું હતું અને તેના નિવાસીએ અને સતાના મા પ્રજા તરિકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
ઇ. સ. પૂર્વે ૬૦૦ સુધીમાં મૈાર્ય વંશની રાજધાની મયૂરનગરી ક્ષત્રિય ફીચ્છવી વંશના રાજાઓના હાથમાં હતી. એક સમયે આ પ્રદેશ અત્યંત સુંદર અને હરિયાળી ભૂમિ તરિકે પ્રખ્યાત હતા. પ્રભુ મહાવીરના નિર્વાણુ પૂર્વે આ રાજ્યગાદી મગધ સામ્રાજ્યમાં ભળી ગઈ. એટલે ત્યારપછી પણ આ નગરના રાજકુટુંબીઓ મગધના (ખંડીયા ) સરદાર તરીકે અહિં જ વસતા હતા. જે કાળના આપણે ઇતિહાસ લખીએ છીએ તે સમયે આ મયૂર નગરીના રાજ્યકુટુંબની એક ભાગ્યવતી સ્ત્રી “મા”ને ગર્ભ રહ્યો. આ ભાગ્યાત્મા સ્રીના આ પ્રથમ જ ગર્ભ હાવાના કારણે તેણીના પિતૃપક્ષનાં માણસે તેને પેાતાના નિવાસસ્થાને મગધ સરહદ નજદિકનાં ગામમાં પ્રસૂતિ અર્થે લાવ્યા હતા. દેવયેાગે એક એવા બનાવ બન્યા કે જેના યેાગે પંડિત ચાણાકયના ભાગ્યેાદયના તે ગર્ભ નિમિત્તભૂત બન્યા.
ગમાં આવેલ ખાળકના નસીમમાં ચક્રવર્તીતુલ્ય સામ્રાજ્યના ભોગવટા નિર્માણ થએલ હાવાનાં કારણે મારુને ચદ્રષિંખનું પાન કરવાના ઉચ્ચ કોટીના દાહલેા ઉત્પન્ન થયેા.
આ શુભ દાહલાની હકીકત ખાઇના પીયરીઆએએ જાણી, તેમણે અનેક મંત્રસાધકા, યાગીઓ તથા ત્રિદંડીઓને ખેલાવી તેના દોલા પૂર્ણ કરવા જણાવ્યું,