Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પર
સમ્રાટ્ સંપ્રતિ
સિદ્ધાંતાનુ અનુકરણીય અને ગૌરવશાળી સ્થાન બન્યું હતું અને તેની કીર્તિ ભારતમાં ચારે દિશાએ ફેલાઈ હતી.
મહારાજા મિઠ્ઠુસાર અથવા તેા મહારાજા અÀાકનાં રાજ્યકાળ સમયે અવન્તીને રાજ્યવહીવટની સુંદર વ્યવસ્થાને ખાતર એ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું હતું, જે એ ભાગાનાં નામા “ ઉત્તર અને દક્ષિણ અવન્તી ” આ પ્રમાણે રાખવામાં આવ્યા હતા. ઉત્તર અવન્તીનું પાટનગર એ પ્રાચીન રાજ્યનગર ઉજ્જૈન ઊર્ફે અતિ કાયમ રહ્યું હતું જ્યારે દક્ષિણ અવન્તીનું પાટનગર વિદિશા નગરી બન્યુ હતુ કે જે પુરાણું શહેર હતુ.
આ વિદિશા નગર જૈનધર્મની યાત્રાભૂમિ તરીકે ઉજ્જૈનીના જેટલું જ પ્રસિદ્ધિને પામ્યું હતું, કારણ કે અહીં પણ પ્રભુ મહાવીરના જીવનકાળની ભવ્ય પ્રતિમાનું મનાહર મંદિર આવેલું છે. પ્રભુ મહાવીર અને તપશ્ચાત થએલ જૈનમુનિ મહારાજોના અંગે તથા મહારાજા અશાકની “ ધર્મ અશેાક ” તરીકેની પ્રસિદ્ધિને અંગે તેણે બનાવેલ સ્તૂપાની હારમાળાએ અહિં આવેલ હાવાથી વિશેષ ખ્યાતિ પામ્યું હતું. કુણાલની ધર્મપત્ની શરદમાળા આ જ વિદિશા નગરીના શ્રેષ્ઠ વણિકની પુત્રી હતી અને તેણે પતિદેવને સંસ્કારી અનાવવા પ્રબળ પુરુષાર્થ કર્યો. કુદરતી સ ંજોગાનુસાર માર્યવંશી યુવરાજ કુણાલે પિતૃઆજ્ઞાના આદર્શ પાલન તરીકે પોતાની પાછળ અમર ઇતિહાસ મૂકતાં સ્વહસ્તે ભરસભામાં અંધાપા લીધા. અને જગતને સાષ્ઠિત કરી આપ્યું કે પિતૃભક્તિ શ્રીમંત અને ગરીબોના માટે સરખી જ છે. રાજ્યકુટુબ પેાતાના જન્મદાતાઓની આજ્ઞા એ , પ્રભુના તુલ્ય માથે ચઢાવે છે અને ડિલેાની સેવા પ્રભુતુલ્ય કરે છે.
66
૪
યુવરાણી શરક્ર્માળા જૈનસ'પ્રદાયના આદર્શ મુનિમહારાજના સત્સંગમાં આવેલી એટલે તેણે પૂર્વસંચિત કર્મીને જ દોષ દઇ, ભવિતવ્યતાનાં ચેાગે પિતૃભક્ત પતિદેવે સ્વહસ્તે લીધેલ અંધાપામાં તેણી પણ સંપૂર્ણ ભાગીદાર બની, અને પેાતાનાં પતિનાં દુ:ખના વિસ્મરણ અર્થે અવન્તી પધારતા જ્ઞાની મુનિમહારાજોના સત્સંગમાં પેાતાના પતિને અવારનવાર લાવતી. પૂર્વે બનેલા મહાન ઐતિહાસિક બનાવાની કથાએ પ્રતિમાધાર્થે જ્ઞાની મુનિમહારાજોની પાસેથી સંભળાવતી. આ પ્રમાણે તેણીએ અંધ પતિદેવને સાધુસમાગમે એવા તેા ચૂસ્ત જૈનધર્માનુરાગી બનાવ્યેા હતેા કે યુવરાજ કુણાલનું ગામ જૈનમુનિમહારાજો અને યાત્રાળુઓ માટે એવું તેા સંસ્કારી અને આશ્રયરૂપ પણ બન્યું હતું કે જેની કીર્તિ ચારે દિશાએ પ્રસરી ગઇ હતી.
આંખાના જખમા રૂઝાયા બાદ ટૂંક સમયમાં જ રાજપુત્ર કુણાલે પાતાના દુ:ખનું વિસ્મરણ કર્યું. બાદ તે અધ્યાત્મપ્રેમી બન્યા અને પેાતાના મધુર સ્વરદ્વારા સતારના અદ્ભુત તારના ઝણકારે આધ્યાત્મિક ભજના( સ્તવના )ના તે રસિક ગાયક બન્યા કે જેના ચેાગે તેની કીર્તિ ચારે દિશામાં પ્રસરી.