Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૭૨
સમ્રાટ્ સંપ્રતિ
આ પ્રમાણે નવમા નંદે મગધ સામ્રાજ્યની સત્તા જમાવવામાં લગભગ ત્રીશ વર્ષ જેટલા સમય ગાળ્યા. મગધ ઉપર ગણેા અથવા તા ભારત ઉપર ગણા અથવા તે ગમે તે રાજસત્તાના ઉપર ગણુા, પરન્તુ પરદેશી રાજ્યસત્તાના હાથમાં સ્વતંત્ર હિંદને પરત ંત્ર થતાં બચાવવા માટે જ તેના પ્રબળ પ્રયત્ન અને પુરુષાર્થ હતા. આ પુરુષાર્થી પ્રયાસામાં જરૂર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક ક્ષત્રિય રાજ્ગ્યાને ભયંકર રીતે સહન કરવુ પડ્યું હતુ, અને ઘણાએની નિર્દયતાથી કતલ થઇ હતી; છતાં આ રાજવીના વીરતાભર્યા પ્રયાસાએ કેટલું સુંદર પરિણામ ઉપજાવ્યુ હતુ. તેના ઇતિહાસમાં જો આપણું સૂક્ષ્મતાથી ઉતરથ તેા સમજાશે કે આ મહારાજાએ હિંદના રક્ષણાર્થે જ, પરદેશી સરીમાંથી તેને બચાવવા માટે જ અને વિધર્મી યાહુદીએના હાથે સંસ્કારી પવિત્ર આ ભૂમિને અપવિત્ર થતી અટકાવવા અર્થે જ પાતાના પુરુષાથી પ્રયાસેા કર્યાં હતા. શાહ સીકદરે ભારત ઉપર કઇ રીતે આક્રમણ કરી પશ્ચિમેાત્તર પ્રદેશને જીત્યા હતા, તેના અહેવાલ આ પછીનાં પ્રકરણેામાં રજૂ કરી, તેણે ચલાવેલી અમાનુષી તલ અને સિધના વીર પુરુષાએ આપેલ આદર્શ બલિદાનના ઇતિહાસ રજૂ કરી સુજ્ઞ વાચકોને ખાતરી કરી આપશું કે મહારાજા નવમા નઢે જે પ્રદેશા જીતવામાં કાળા અશાક અને પરશુરામનુ બિરુદ મેળવ્યું હતુ. તે વિદેશી સત્તાની ભયંકર કત્લેઆમ સાથે સરખાવતાં હિતકારી અને અલ્પ નિય–હિંસક હતું.