Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૪૫
બિંબિસારનું દેશાટન કહી ઉપરોક્ત ઓરડાઓ ખુલતાં ગપાળે અખૂટ ભંડારમય તે જંતુરીની ધૂળને ખેબે ભરી લાવી શેઠને કહ્યું કે: “શેઠ! જરા ઝીણી નજરથી પારખો તો ખરા કે આ તેજંતુરી છે કે બીજું કંઈ?”
શેઠની બન્ને આંખે આશ્ચર્યથી વિકસિત થઈ ગઈ. શેઠની કાબેલ નજરમાં થોડી જ પળમાં પિતાના વડીલોના હાથે ભરાયેલ તેજતરીને અખૂટ ભંડાર સમજાશે. જેને માટી સમજી ઘણે વખત ફેંકી દેવા પ્રયત્નો કરેલા, પરંતુ “સંઘરી ધૂળ પણ કેઈ સમયે કામમાં આવે છે.” એ કહેવત પ્રમાણે સુજ્ઞ શેઠાણીની સલાહ અનુસાર શેઠે આ એારડાની ધૂળને રાખી મૂકી હતી.
નેપાળ આ ઘરને ઊંદર બનેલ હવા સાથે સુનંદાને પૂર્ણ પ્રેમપાત્ર અને શેઠને વિશ્વાસુ બનેલ હોવાથી તેણે ઘરના ખૂણે ખૂણાની માહિતી મેળવી લીધી હતી. એટલે તેણે સમયને લાભ મળતાં બંધ ઓરડાને ખાલી પોતાની ચકર દષ્ટિએ ધૂળને તેજ તુરી તરીકે પારખી હતી. - શેઠના હર્ષને પાર રહ્યો નહીં અને શેઠે હર્ષઘેલા થઈ ગેપાળને અતિવ શાબાશી
આપી. નગરના અન્ય વેપારીઓ સન્મુખ ઇંદ્રદત્ત શેઠ સાધારણ સ્થિતિના ગણાતા, એટલે તેઓએ શેઠના સાહસ માટે શેઠની મશ્કરી શરૂ કરી હતી. એવામાં જોતજોતા શેઠમાંને દરવાજે સાર્થવાહ પોતાની પોઠ લઈ હાજર થયે અને આશ્ચર્ય વચ્ચે ઇંદ્રદત્ત શેઠે નગરના રાજ્ય અમલદારો સન્મુખ દેવકીનંદ સાર્થવાહને પેટપૂરતી તેજંતુરી ભરી લેવા જણાવ્યું. નગરજનો અને વેપારીઓ તે ઇંદ્રદત્ત શેઠના આ સાહસને એકીટસે જોઈ રહ્યા. આ પ્રમાણે માત્ર એક જ દિવસના વેપારમાં ઇંદ્રદત્ત શેઠ ગોપાળની બુદ્ધિના કારણે સાધારણ વેપારીમાંથી શ્રીમંત વેપારી અને રાજ્યદરબારના માનીતા બન્યા.
કIE , - -