________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે ‘મિચ્છા મિ દુક્કડં' દીધું. અહીં જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિંતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને સરલતાથી પોતાનું ચિંતવેલું ગુરુ મહારાજને યથાસ્થિત કહી દીધું.
વીરપ્રભુના તીર્થના સાધુઓના વક્ર અને જડપણાનાં બે દૃષ્ટાંતો નીચે મુજબ –
વીરપ્રભુના તીર્થના કેટલાએક સાધુઓ નટને નાચતો જોઈને, વિલંબથી ગુરુસમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું, અને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પોતાના વક્ર સ્વભાવથી જૂઠા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી ચિ તેઓએ સત્ય વાત કરી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે - “તમોએ અમોને નટ જોવાનો તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ શા માટે નિષેધ કર્યો નહીં ! માટે આ દોષ તમારો જ છે, અમે શું જાણીએ !” આવી રીતે વક્રતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું.
બીજું દૃષ્ટાંત એવી રીતે કે - કોઈ એક વેપારીનો દીકરો દુર્વિનીત વક્ર અને જડ હતો. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે - ‘મા બાપ વિગેરે વડીલોનાં સામું ન બોલવું. એક દિવસે બધા ઘરના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[][][]] ]]>
પ્રથમ વ્યાખ્યાનમ
૧૧