________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
I
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
મહાનુભાવો ! તમોને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાનો તો નિષેધ જ જાણવો'. ત્યારે શિષ્યોએ કહ્યું કે - “હે પ્રભુ ! અમોને તે વાતનું જાણપણું નહોતું હવે ફરીને તેમ નહીં કરીએ” અહીં ! તેઓએ જડ હોવાથી એમ ન જાણ્યું કે ગુરુ મહારાજે નટનો નિષેધ કર્યો તો નટીનો નિષેધ હોય જ, અને સરલ સ્વભાવી હોવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દષ્ટાંત જાણવું - હવે બીજું દષ્ટાંત એવી રીતે કે – કોઈક કોંકણ દેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઈર્યાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણા કાલ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ગ પાર્યો ત્યારે ગુરુએ પૂછ્યું કે - “તમે આટલા બધા લાંબા કાઉસ્સગ્નમાં શું ચિંતવ્યું?' તેમણે કહ્યું કે “સ્વામી ! મેં તેમાં જીવદયા ચિંતવી'. ગુરુએ પૂછ્યું કે “તમે શી રીતે જીવદયા ચિંતવી?” તેણે કહ્યું કે – “પહેલાં જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે મેં ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી સારી રીતે ખેડીને ધાન્ય વાવ્યું હતું, અને તેથી ઘણું નીપજ્યું હતું પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઈને નકામાં વૃક્ષ વિગેરેને ખેતરમાંથી નહીં મઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહીં તો ધાન્ય નહીં નીપજવાથી તે બિચારાના શા હાલ થશે?” ગુરુ મહારાજે કહ્યું કે – “હે છે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ કે, વૃક્ષો ઉખેડવામાં તથા ! ખેતરને ખેડવામાં ઘણા જીવોનો નાશ થાય છે, તેથી તમે દુર્બાન કર્યું આમ ચિંતવવુ સાધુને કહ્યું નહીં'. |
For Private and Personal Use Only