Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ચિરંતનાચાર્ય વિરચિત
૪ શ્રી પંચ સૂત્ર છે
] - ભાવાર્થ લખનાર "
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | [ ક્રમાંક-૧૪].
"
[મૂળ અને ભાવાર્થ]
- ૪–અથ વાજા પરિપાલશા સુત્ત સાધુ ધમની ભાવના કર્યા પછી વિધિપૂર્વક પ્રવજ્યા ગ્રહણ કરવી જોઈએ એમ ત્રીજા સૂત્રમાં કહી આવ્યા. પ્રવજ્યાને ગ્રહણ કર્યા પછી શું કરવું જોઈએ તે માટે પ્રવજયાની ચર્યાને કહેવા માટે આ ચેથા “પ્રવ્રયા પરિપાલના” નામના સૂત્રને ઉપન્યાસ છે.
સ એવમભિપāઈએ સમાણે સુવિહિભાવ કિરિયાફલેણ જજઇ વિસુહચરણે મહાસરે ન વિવજય મેઈ ! એઅ અભાવે ભિષે અસિદ્ધિ ઉવાયપવિત્તીઓ નાવિવજિજલ્થ ડણવાએ પથઈ ઉવાઓ અ ઉઅસાહશે નિઅમેણા તસ્મતત્તસ્થાઓ અહા અઇમ્પસંગાએ નિયમયમે છે
આ રીતે વિધિપૂર્વક પ્રવજ્યાને ગ્રહણ કરનાર મુમુક્ષુ વિધિના આકરવાળે અને અવિધિના ડરવાળે હોવાથી સમ્યક્ ફળને મિનારે બને છે. અર્થાત્ આ ચારિત્રની ક્રિયા એ સમ્યફ ક્રિયા હોવાથી અને વિધિનું બહુમાન કહેવાથી ભગવાનની આજ્ઞા મુજબ તેનું પાલન કરવાથી તેને તેનું સાચું ફળ મેક્ષ મળે છે. વળી તે મુમુક્ષુ ઉપગપૂર્વક સમ્યફ પ્રકારે ક્રિયાઓને કરનાર હોવાથી ચારિત્રની વિશુદ્ધિને કરતે તેમ ગમે તેવા ઉપસર્ગ પરિષહમાં જરા પણ પાછી પાની નહિ કરનાર હોવાથી મહાસ-વશાળી એ તે મિથ્યાજ્ઞાન રૂપ વિપર્યયને પામતે નથી. અને તે વિપર્યયને નહિ પામવાથી સ્વાભાવિક રીતે ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર હોવાથી સામાન્યથી તેનું વાંછિત સિદ્ધ થાય છે. કારણ કે જે આત્મા વિપર્યયને પામતું નથી તે ઉપાયને છોડીને કયારે પણ અનુપાયમાં પ્રવૃત્તિ કરતે જ નથી. અને જે ઉપાય-કારણ છે તે અવશ્ય ઉપેયકાર્યને સાધનાર હોય જ છે. અન્યથા જે ઉપાય ઉપેયને સિદધ ન કરે તે તેમાં ઉપાય પણું જ ન રહે અને જે -તેમ બને તે અતિપ્રસંગ આવે.
કેઇપણ કાય કારણને લઈને જ નીપજે છે. જેનું કારણ હોય તેવું જ કાર્ય થાય. માટીમાંથી ઘટ બને અને તંતુમાંથી પટ બને. પરંતુ માટીમાંથી પટ ન બને