Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- આલા હજ હા હા રાહબરી હo-૯ – જ્ઞાન ગુણ ગંગા –
-પ્રજ્ઞાંગ છે. તેમજ હા હાજીઅન નહહ - ૯
વળી શ્રી જ્ઞાનસૂરિકૃત આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં તે અર્થથી નીચે પ્રમાણે કહ્યું છે કે
“અઢી દ્વીપ સમુદ્રોમાંથી અઢી આગળ ન્યુન ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીના મન જુમતિ મન:પર્યવજ્ઞાની જાણે છે અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એનાથી અઢી આંગળ અધિક ક્ષેત્રના સંસી છોના મન જાણે છે.
- જે જી નિસર્ગથી સમ્યકત્વને પામે છે તેઓને એકલું મતિજ્ઞાન હોય છે. કેમકે જયાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય જ એ નિશ્ચય નથી. પરંતુ જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ આ શ્રી તસ્વાથટીકાને અભિપ્રાય છે.
જયારે શ્રી નદી સૂત્ર આદિમાં તે કહ્યું છે કે- “જલ્થ મઠના તત્થ સુઅનાણું | જલ્થ સુચનાણું તત્વ મઈનાણું ”
જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય છે અને જયાં શ્રુતજ્ઞાન છે. ત્યાં મતિજ્ઞાન છે.
૦ કેવળજ્ઞાનની હાજરીમાં પણ ચારે છાઘસ્થિક જ્ઞાનેનો સહભાવ હોઈ શકે છે. જેમકે સૂર્યને ઉદય થયે છતે પણ ચંદ્રમા, નક્ષક, દીપક આદિ હોય છે. જો કે બહુ * પ્રકાશતા નથી.
કેટલાક એમ કહે છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે છાવસ્થિજ્ઞાને રહેતા નથી. કેમકે, અપાયરૂપી સદ્ગદ્રવ્યને અભાવ હોવાથી મતિજ્ઞાન જે સંભવ નથ, મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન સંભવી શકે નહિ. માત્ર રૂપી દ્રવ્યે જ જેનો વિષય છે એવું અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ સંભવે નહિ. ' વળી મતિ આદિ ચારે જ્ઞાન ક્ષાપશમિક છે જયારે કેવળજ્ઞાન ક્ષાયિક છે માટે પાંચ જ્ઞાને એકત્ર રહી શકતા નથી.
જેમકે સાદડી હોય તે તેમાં જાળીઓની કલ્પના કરવી પણ મૂળમાં સાડી જ ન હોય તે પછી જાળીની કલપના કયાંથી કરાય? (અનુ. ટાઈ. ૩ ઉપર)