Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬ :
તેમાં કર્યું છે માટે તે ખાસ કથાનુયોગ રાખે છે જે ખરેખર અદભુત છે. આ ઉજવણુ પણ જેની તેની ન થાય પણ કથાને લાયકની જ સ્વર્ગતિથિ ઉજવાય. જેમને જીવનમાં કશું ખોટું કર્યું જ નથી, સાચાને માટે સત્યની રક્ષા માટે, સાચાની જાળવણી માટે કરવા જેગું બધું જ પ્રાણુના લાગે કર્યું છે તેવા આ મહાપુરુષ હતા. તેમનું પણ જીવન વાંચવાની તમને કુરસદ છે? આપણે પણ આ મહાપુરુષની તિથિ શા માટે કરી? તેઓ ગુણસંપન હતા, ધર્મ રક્ષા માટે ઝઝુમ્યા. કુધર્મમાં જન્મેલા હોવા છતાં તેને પરિત્યાગ કરી કષ્ટ વેઠી સુધર્મમાં આવ્યા. સુમને જ પ્રચાર કર્યો, સુવમે સાચવવા ભારેમાં ભારે પુરુષાર્થ કર્યો અને સારી રીતે ધમ આરાધી, સમા. ધિપૂર્વક કાળ પામી પિતાનું કામ સાધી ગયાં.
હવે તેમના જીવન પરથી અમારે-તમારે તે નકકી કરવાનું કે- સત્યાસત્ય સમજવા બેદરકાર રહેવું તે પાલવે નહિ તમે સંસારમાં પડી, ધર્મ સમજ નથી એ પી જે સ્થિતિ અખત્યાર કરી છે તે કાઢી નાંખવી જોઈએ. તમારે સંસારમાં રહેવું પડે, ધંધાદિ કરવા પડે તે એવા નહિ કે જેથી ધર્મને ટાઈમ જ ન રહે. આજે અમારામાંથી ધર્મને અભ્યાસ નીકળી ગયું છે. તે ચેપ અમને ય લાગ્યું છે. તત્ત્વ-અતવ શું તેમ પુછે અને કાને હાથ દવે પડે તે શાસનને કલંક છે. ધમી ગણાતા શક્તિસંપન્ન તત્ત્વને જ્ઞાતા નહિ ને કલંક નહિ? સત્યાસત્યની વાત ચાલે ત્યારે જાણકાર ચૂપ રહે, ઝઘડે. થાય માટે બેલે નહિ તે સાચું કહે કેણી ગાઢ અંધારું હોય અને જેની પાસે લાઈટ હોય અને તે લાઈટ ન કરે તે મારી નાંખનારા કહેવાય કે જીવાડનાર કહેવાય?
મેં અનેકવાર કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે વર્તમાનમાં જે વાતમાં તમને ઝઘડે લાગે છે તે માટે બધા આચાર્યો પાસે જવું, બધાને તે અંગે પૂછવું અને એવું લાગે તે લખાવવું અને પછી કહેવું કે હું બીજે પણ જવાનો છું માટે સાચું સમજાવશે. આવી રીતના દરેક આચાર્યો પાસે પાંચ પાંચ વાર જઈ આવો અને પછી પંડિત બેસાડી સાચા અર્થ કરાવે અને તમને જે સારું લાગે તે જાહેર કરે તે ઝઘડો હમણું મટી જાય. આ માટે તે મહેનત કરવી પડે. પણ કરે છે?
પ્ર - આમાં કલેશ થાય છે?
ઉ– તે કલેશ પણ લાભને માટે થાય. તપ કરીએ તે કલેશ થાયને? સાચી વાત જાહેર કરતાં અગ્યને કલેશ થાય અને યોગ્યને લાભ થાય તો તે કલેશની ચિંતા ન અંકાય. તપ કરતાં શરીરને કલેશ થાય અને આત્માને લાભ થાય તે તપ ન સુકાય,