________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૧ તે જે બીજા અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શક્ત, એટલે બીજા અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશથી ઘડાયેલું છે, એટલે જ્યારે એ સાપેક્ષ અંશેને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે ત્યારે તેમાંથી એકે રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે–અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતે નયવાદ પિતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે, તેથી કઈ પણ એક વસ્તુ પરત્વે જેટલા વચન પ્રકારે મળી આવે અગર તે સંભવી શકે તેટલા જ તે વસ્તુપરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે એમ સમજવું જોઈએ. અભિપ્રાચ એટલે નયવાદે. વચનના પ્રકારો જેટલા જ નયવાદે સમજવા. એ બધા જ નયવાદે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ રહે છે તે જ પરસમયે એટલે જૈનેતર દૃષ્ટિએ છે. તેથી પરસ્પર વિરોધ કરતાં કે અંદરોઅંદર પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા ન હોય તે વાસ્તવિક રીતે તેટલા જ પરસમ છે અર્થાત્ એકબીજાનું નિરસન કરતી જેટલી વિચારસરણીઓ મળે અગર સંભવે તેટલા જ તે વસ્તુ પરત્વે દર્શને અને એ અજૈન. જેનદર્શન તે અનેક તે વિધી દર્શનેના સમન્વયથી ઉદ્દભવતું હોવાથી એક જ છે. અજેન અને જૈન દર્શનેનું નિયામક તત્ત્વ વિરાધ અને સમન્વય છે. પિતાના વકતવ્યના પ્રતિપાદનમાં જેને ઉદ્દેશ પરવિરોધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org