________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈન રામાયણ બૃહસ્પતિ' નામનો મંત્રી બનાવ્યો. નિંગમેષિ' નામનો સરસેનાપતિ સ્થાપ્યો.
દેવલોકના ઇન્દ્રના પરિવારમાં દેવોનાં જે જે નામો છે તે બધાં નામાં તેણે પોતાના વિદ્યાધર-પરિવારમાં પાડ્યાં અને હું ઇન્ટ!' એવા ઘમંડથી રાજ્યનું પાલન કરવા માંડ્યું.
પણ આ તો સંસાર! કોઈનાય ઘમંડ ટકવા ન દે, કર્મસત્તા મહાન સંપત્તિ અને વૈભવો જીવને ચરણે ધરે છે, પરંતુ જીવ પાસે તે તેનો ત્યાગની અપેક્ષા રાખે છે! જો જીવ તે સંપત્તિ અને વૈભવ પર મગરૂબી ધારણ કરનારો બને છે તો તે સંપત્તિ-વૈભવોનો બીજો ઉમેદવાર કર્મસત્તા ઊભો કરીને તેને છીનવી લેવા પ્રેરે છે.
ઇન્દ્રની “ઇન્દ્ર તરીકેની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરી ગઈ. લંકાપતિ માલી રાજા ઇન્દ્રના અહંકારને સહન ન કરી શક્યો. પોતાની પ્રચંડ શક્તિનું તેને અપમાન થતું હોય એવું લાગ્યું. ઇન્દ્રને મહાત કરવા માલી થનગની ઊો, અને યુદ્ધનાં નિશાન ગડગડવાં.
સુમાલી, માલ્યવાન વગેરે પરાક્રમી રાક્ષસવીરોની સાથે માલીએ આકાશમાર્ગે વૈતાઢય પર પ્રયાણ કર્યું. રાક્ષસવીરોથી આકાશ ઢંકાઈ ગયું. પણ ત્યાં જ સુમાલીએ માલીને કહ્યું
મોટાભાઈ, શુકન સારા થતા નથી.
સુમાલી! તું કાયરનો કાયર જ રહ્યો..' પ્રચંડ ભુજાબળથી ગર્વિષ્ટ બનેલા માલીએ સુમાલીને હસી કાઢયો.
“પણ આ ગધેડો ભૂંડું ભૂકી રહ્યો છે...' 'ભલે ભુંકે, તું ભૂંકવાનું બંધ કર.'
આ શિયાળિયાઓનો વરસ સ્વર માઠાં એંધાણ કરે છે.'
બોલતો બંધ થઈશ? માલીની અપ્રમેય શકિો પર તને અવિશ્વાસ છે? સુમાલી! બનાવટી ઇન્દ્રને રણમાં ધૂળ ચાટત કરી આ પાછા વળ્યા સમજ, શુકન-બુકનને પરાક્રમી પુરુષો ગણકારતા જ નથી હોતા..'
રાક્ષસપતિ, શુકન કંઈ અશુભ નથી કરતા પરંતુ, આપણા શુભ-અશુભ ભાવિનું સૂચન કરતા હોય છે. મહર્ષિઓએ....'
ચૂપ મર. તારી સલાહની મને જરૂર નથી.”
For Private And Personal Use Only