________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જૈન રામાયણ બધાં જ મારામાં ઘટતાં હોય અને સાથે સાથે મધુપિંગમાં લક્ષણો ઘટતાં ન હોય. બલકે મધુપિંગ રાજા તરીકે અયોગ્ય ઠરવો જોઈએ. સગરે પોતાની તરકીબ કહી સંભળાવી...
‘જરૂર મહારાજ! કાલે તૈયાર થઈ જશે.' “તો હું મારા પુરોહિતજીનો અપૂર્વ સત્કાર કરીશ.' “આપનો પ્રેમ એ જ..” કહી પુરોહિત રવાના થયો. સગર પૂર્વવત્ હર્ષથી રાચી રહ્યો. રાજસભા ભરાઈ હતી. સ્વયંવર માટે આવેલા નાના મોટા બધા રાજાઓની હાજરી હતી. મુખ્ય સિંહાસન પર પરાક્રમી અને પ્રસિદ્ધ સગરરાજ બેઠો હતો. અયોધન રાજા તેના પાસેના સિંહાસન પર આરૂઢ થયા હતા. ત્યાં રાજપુરોહિત વિશ્વભૂતિ એક નાનકડી, નાજુક પરંતુ પુરાણી પેટી લઈને રાજસભામાં હાજર થયો. પુરોહિતના હાથમાં પટી જોઈ અયોધને પૂછ્યું : “પુરોહિતજી! કયું પુરાણ લઈ આવ્યા છો ?'
મહારાજા! જો કે આ પુરાણ નથી, પરંતુ પુરાણ જેટલું આ એક મહત્ત્વનું પુસ્તક છે! વિશ્વભૂતિએ ગંભીર વદને પેટીને પોતાના આસનના એક ભાગ પર મૂકતાં કહ્યું.
શું નામ છે એ પુસ્તકનું?” અયોધને જિજ્ઞાસા વ્યક્ત કરી. “નૃપન્નક્ષારસંહિતા સ્પષ્ટ શબ્દોચ્ચાર કર્યો.
ઓહો! નામ તો બહુ સરસ છે! વારુ, પેટી ખોલીને થોડુંક વાંચી સંભળાવો ને!' ‘જરૂર મહારાજ! કંઈ નવું ને નવું, આપને સંભળાવવું એ તો અમારું કામ છે!' પુરોહિતે મસ્તક નમાવીને, વિનમ્ર શબ્દોથી પ્રત્યુત્તર આપ્યો. પેટી ખોલીને અંદરથી મૂલ્યવંત વસ્ત્રથી વીંટાયેલી પોથી બહાર કાઢી. ‘જરા થોભો, પુરોહિતજી મારે કંઈ કહેવું છે...' સગરરાજ બોલ્યા,
જરૂર ફરમાવો મહારાજા!' ‘પહેલાં અહીં બેઠેલા બધા જ રાજા-મહારાજાઓએ એક નિર્ણય કરવો જોઈએ.' શાનો નિર્ણય રાજન?' અયોધને સગરને પૂછયું.
એ કે, આ 'નૃપક્ષસંહિતા' એટલે રાજાઓનાં લક્ષણોનો ગ્રંથ, તો આ લક્ષણો સાંભળ્યા પછી, આ લક્ષણોથી જે હીન હોય તેનો વધ કરવો યા તો કાઢી મૂકવો!'
For Private And Personal Use Only