________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૪ દિવસો વીતવા લાગ્યા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ એનું ચિત્ત ભાંગસુખોથી નિલપ થતું ગયું.
માણસ શરીરે ક્યાં સુધી ખણ? જ્યાં સુધી ખાજ આવતી હોય ત્યાં સુધી. તેમ જ્યાં સુધી વિકારોની ખણજ હતી ત્યાં સુધી આનંદમાલીએ ભોગસુખો ભોગવ્યાં અને જ્યાં એ ખણજ બંધ થઈ એટલે ભોગસુખોથી તે અળગો થઈ ગયો.
એક દિવસ તેણે અહિલ્યાને એકાંતમાં પોતાના મનોભાવથી વાકેફ કરી : “મારું ચિત્ત હવે આ સંસારના કામભાગમાં ચોંટતું નથી...” અહિલ્યા પર પોતાના શબ્દોની શી અસર પડે છે તે જોવા, તેણે અહિલ્યાના મુખ સામે જોયું, પરંતુ એ સત્ત્વશીલ સન્નારીના મુખ પર કોઈ દુઃખ કે ગ્લાનિની અસર દેખાઈ નહિ.
મને તો એમ થાય છે કે આ સંસારનો ત્યાગ કરી પરમાત્મા જિનેશ્વરદેવના ચારિત્રમાર્ગે ચાલ્યો જાઉં... તમે શું ઇચ્છો છો?'
સ્વામી! તમારો મનોરથ શુભ છે, તમારી ભાવના ઉત્તમ છે અને એ જ ક્ષત્રિય રાજાઓની પરંપરામાં ચાલી આવતી રીતિ છે કે ભોગસુખોથી વિરકત બની જીવનના અવશિષ્ટ વર્ષો સાધુતામાં વિતાવવાં.' ‘પણ તમને દુઃખ...'
મને કદાચ દુઃખ થાય તો તે મારા સ્વાર્થનું, સ્વામી! બાકી એ ય થાય એમ નથી, કારણ કે મારે ચિત્ત પણ ભોગોમાંથી વિરક્ત બનતું જાય છે! અલબત્ત તમારો દીર્ઘ કાળનો સંયોગ તૂટે છે તેટલું દુ:ખ જરૂર છે, પરંતુ તમારા મહાન કાર્યમાં મારા એ દુઃખનો પથ્થર વચ્ચે નહિ નાખું. તમારા સંયમમાર્ગની આડે નહિ આવું...'
ખરેખર, તમે જિનશાસનના મર્મને ઓળખ્યો છે, દેવી!” આનંદમાલીના આનંદનો કોઈ પાર ન રહ્યો.
તે છતાં હું હdભાગી છું કે તમારા માર્ગે હું આવી શકું એમ નથી. નાનાં બાળકોને મૂકી, નીકળી શકવાનું મન ના પાડે છે, મોહ નડે છે. બાકી બાળકોને સંભાળનારું ભાગ્ય છે જ.'
બસ, આનંદમાલીનો માર્ગ સરળ થઈ ગયો. શુભ દિવસે અને શુભ મુહુર્ત તો સંસારનો ત્યાગ કરી, મોટા ભાઈ કલ્યાણગુણાધર મહામુનિ પાસે સંયમ સ્વીકાર્યું; સંયમ સ્વીકારી મટાભાઈ સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિર્વાણસંગમ મહામુનિ ઈન્દ્રને કહે છે :
ઇન્દ્ર! આનંદમાલીએ દીક્ષા લઈને અપૂર્વ તપ, ત્યાગ અને જ્ઞાનધ્યાન આદર્યો. વિચરતા વિચરતા એક દિવસ કલ્યાણગુણાધર મુનિવરની સાથે
For Private And Personal Use Only