________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
જેન રામાયણ મહારાજા પ્રસ્લાદના જય હો! મહાસતીને લઈને સેનાપતિ આવી રહ્યા છે!” પ્રહસિત પોતાના વિમાનને આવતાં વિમાનની દિશામાં વાળ્યું અને આદિપુરનો ધ્વજ લહેરાવી દીધો. સામેથી સનાપતિએ પણ ધ્વજ લહેરાવ્યો! સુભટોએ જયજયકારથી ભૂતવનને ગજવી મુક્ય. વિમાન નજીકમાં આવી ગયાં. પ્રહસિત માનસવેગના વિમાનની પાસે જઈ અંજના અને હનુમાનને સુખરૂપ જોઈ, મહાન હર્ષ અનુભવ્યો. વિમાનને આગળ કરી, પ્રહસિત સહુને
જ્યાં ચિતાના ભડકા થઈ રહ્યા હતા ત્યાં લઈ આવ્યો. વિમાનને યોગ્ય જગાએ ઉતારી, સહુ ઝડપથી પવનંજયની પાસે આવી પહોંચ્યાં. માનવેગે અને અંજનાએ રાજા અલ્લાદનાં ચરણોમાં પ્રણામ કર્યા. - અલ્લાદની આંખોમાંથી હર્ષના આંસુ ટપકી પડ્યાં. તે માનવંગને ભેટી પડ્યો. નાનકડા હનુમાનને તેડી લઈ, પોતાના ઉસંગમાં જકડી લીધો. કેતુમતી અંજનાની સામે જોઈ રડી પડી.
બેટી, મને ક્ષમા કર..' કેતુમતી અંજનાના પગમાં પડવા ગઈ ત્યાં તો અંજનાએ બે હાથે કેતુમતીને પકડી લીધી.
માતાજી! આપનો કોઈ દોષ નથી. દીપ મારા દુર્ભાગ્યના જ છે,' અંજનાએ કેતુમતીની વ્યથાને હળવી કરી; અને પવનંજયને અંજલિ જાડી પ્રણામ કર્યા.
પ્રહસિતનું હૃદય પ્રસન્ન બની ગયું. તે એક બાજુ ઊભાં ઊભો પવજયઅંજનાને જોઈ રહ્યો. તેની કલ્પનાસૃષ્ટિમાં એ બંનેના જીવનના ભૂતકાળના પ્રસંગો તરવરવા લાગ્યા. સંસારની અસારતા સમજવા માટે આનાથી બીજું કયું ઉમદા દષ્ટાંત મળી શકે?
રાજન! તમે ખરેખર મારા કુટુંબને દુ:ખના દરિયામાં પડતું ઉગારી લીધું..” અલ્લાદે માનસવેગન ગળગળા સ્વરે આભાર માન્યો ,
મહારાજા, હું તો નિમિત્ત માત્ર છે. બાકી તો અંજનાનું પુણ્યબળ જ એના સહારે આવ્યું છે.” માનસવેગે નમ્રતાપૂર્વક કહ્યું.
તમે મારા સર્વ સંબંધીઓમાં શ્રેષ્ઠ બન્યા છો. તમે જ મારા સાચા બંધુ છો. મારા વંશની પરંપરાના આધારભૂત મારી પુત્રવધૂનું રક્ષણ કરી મારા સમગ્ર કુળના ઉપકારી બન્યા છે.' અલ્લાદે માનસવંગની પુનઃ પુનઃ પ્રશંસા કરી.
હા, અને જો એમણે મારી પુત્રવધૂનું રક્ષણ ન કર્યું હોત તો અને એ ન મળી હોત તો હું પણ જીવી ન શકત.' કેતુમતીએ કહ્યું કે,મતી તો હનુમાનને, પોતાના ઉસંગમાં લઈને રાજી રાજી થઈ ગઈ. પૌત્રનું અનુપમ રૂપ-લાવણ્ય જોઈને, અને પૌત્રની કાલી ઘેલી વાણી સાંભળીને કેતુમતી હર્ષઘેલી થઈ ગઈ.
For Private And Personal Use Only