________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે..
વિદ્યાધર રાજાને સંદેશો આપવા ગયેલા દૂતોમાંથી એક દૂત પવનંજયને ખાસ સંદેશો આપવા માટે હજુપુર પહોંચી ગયો હતો. સંદેશો મળતાં જ પવનંજય અને માનસવેગ લંકા જવા માટે તૈયાર થયા, પરંતુ પિતાને અને મામાને તયાર થતા જોઈ હનુમાન ત્યાં આવ્યા :
પિતાજી, યુદ્ધ માટે હવે આપને જવાનું ન હોય. આપ અહીં જ રહો. આપ મને અનુજ્ઞા આપો.'
‘ભાઈ, આ યુદ્ધમાં તારું કામ નહિ, વરુણ અને એના પુત્રો પ્રચંડ શક્તિ ધરાવે છે. એમની સામે..”
“પિતાજી, આપ મને નાનો સમજીને વાત કરો છો. પરંતુ પરાક્રમમાં વય જવાતી નથી. આપ એક વખત મને જવાની અનુજ્ઞા આપો. પછી જ આપને આપના પુત્રના પરાક્રમની પ્રતીતિ થશે.'
માનવંગ તો જાણતા જ હતા કે હનુમાનનું પરાક્રમ અજોડ છે. તેમણે કોઈ અનાકાની ન કરી. બલકે હનુમાનને જવા દેવા માટે પવનંજયને સમજાવ્યો. પરંતુ જ્યાં હનુમાનને યુદ્ધમાં જવા તૈયાર થયેલ જામ્યો કે અંજના દોડી આવી, વસંતતિલકા દોડી આવી, પ્રસિત પણ આવી પહોંચ્યો. હનુમાનનો હાથ પકડી, અંજનાએ ગળગળા સ્વરે કહ્યું.
બેટા, તારે હમણાં યુદ્ધમાં નથી જવાનું. તારા વિના એક ક્ષણ પણ હું રહી શકું નહિ.”
“મા, તારે તો આ પ્રસંગે એક વીર-માતાને છાજે એ રીતે મને વિદાય આપવાની હોય! તું નિશ્ચય માનજે કે આ તારો પુત્ર વિજય મેળવીને હેમખેમ પાછો આવી પહોંચશે!'
અંજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. તે જોઈ મામા માનસવેગે અંજનાને આશ્વાસન આપ્યું અને હનુમાનના પડવા માત્રથી પર્વતના શિખરના થઈ ગયેલા ચૂરાવાળો પ્રસંગ યાદ કરાવ્યો. પુત્રનું પરાક્રમ સારા ય વિશ્વમાં કીર્તિ પ્રસરાવનારું બનશે, એ વાત સમજાવી. અંતે, હનુમાનની સાથે પ્રહસિતને જવાનું નક્કી થતાં અંજ ના સંમત થઈ.
બસ! હનુમાનના સેનાપતિપણા નીચે યુદ્ધ જવા માટે, હજારો-લાખો સૈનિકો થનગની ઊઠ્યા. શુભ દિવસે અને શુભ શુકને અંજનાએ વીર હનુમાનના લલાટમાં કંકુનું તિલક કર્યું અને યુદ્ધનાં વાજિંત્રોએ ગગનને ગજવી મૂક્યું.
For Private And Personal Use Only