________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે..
૨૯૧ “ક્યાંથી આવ્યા છો?” “લંકાથી.' “ઓહો? લંકાપતિ કુશળ તો છે ને? મિત્ર પણ જ્યારે દગો , ત્યારે કુશળતા કેવી રીતે હોય, રાજન?'
એવો તો કયો મિત્ર છે કે જેણે લંકાપતિને દગો દીધો છે?' વરુણે ઉત્સુકતાથી પૂછયું.
આપ મને શું પૂછો છો? આપ જ વિચારો!' વરુણે પુંડરીક અને રાજીવની સામે જોયું. તેઓ પણ વિચારમાં પડી ગયા. ત્યાં લંકાપતિના દૂતે કહ્યું :
રાજન, આપ અજાણપણાનો દેખાવ ન કરો. લંકાપતિને આપની ભેદભરી રમતનો ખ્યાલ આવી ગયો છે અને મને સંદેશો આપીને મોકલ્યો છે.”
એટલે શું અમે મૈત્રી તોડી છે?' વરણે વ્યગ્ર બન્યો. હા, જી હા...' ખોટી વાત. તદ્દન જુઠાણું..' વણે રાડ પાડી.
લંકાપતિના ગરપુરષોએ બાતમી મેળવી છે કે આપના સુભટો લંકાના પ્રદેશમાં પોતાનો પગદંડો જમાવવા લાગ્યા છે. લંકાપતિને આ સમાચારે ભારે આઘાત પહોંચાડ્યો છે અને જો તમારી આ પ્રવૃત્તિ તકાળ નહિ અટકે તો લંકાપતિ તત્કાળ સખત પગલાં ભરશે...'
‘બિલકુલ પાયા વગરની આ વાત છે. અમારા સુભટો કદીય એવું પગલું ભરે નહિ એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.' રાજીવે સ્પષ્ટ ખુલાસો કર્યો.
તો શું લંકાપતિના ચરપુરાપોએ ખોટી બાતમી આપી છે. એમ?”
હા, તદન ખોટી. આ એક બનાવટી વાત ઊભી કરવામાં આવી છે.' રાજીવે વાતનો મર્મ બતાવ્યો.
આપના તરફથી લંકાપતિ શું સંદેશો આપવાનો છે?' “સંદેશો લઈને અમારો દૂત આવશે.” વરુણરાજે લંકાપતિના દૂતને વિદાય કર્યો અને તરત રાજસભાને બરખાસ્ત કરી. પુંડરીક, રાજીવ, મહામંત્રી, વગેરેને મંત્રણાગૃહમાં બોલાવી, વરુણરાજે લંકાપતિને શું સંદેશો મોકલવ, તેની ગંભીર વિચારણા કરી લીધી અને પોતાના દૂતને બોલાવી સંદેશો આપ્યો:
લંકાપતિ,”
For Private And Personal Use Only