Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 265
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાન યુદ્ધની વાટે.. ૨૫૫ પોતાના ગુનાની સજા અત્યારે થતી હોય એમ અલ્લાદને લાગ્યું. પવનંજય, અંજના અને હનુમાનને લીધા વિના આદિત્યપુરમાં જવું, એ પણ એક શરમજનક પરિસ્થિતિ હતી, કેતુમતીએ પવનંજયને સમજાવ્યો, પરંતુ પવનંજયે તો સ્પષ્ટ વાત કરી. માતા, મારો એવો આગ્રહ નથી કે અહીંયાં જ રહેવું. અંજનાનું દિલ માનતું હોય તો મને ત્યાં આવવામાં કોઈ દુઃખ નથી, હું તો રાજી છું.” “રાજન, તમે આગ્રહ ન કરો. અંજના અને હનુમાન સાથે આખું હનુપુર હળી-મળી ગયું છે. હું કદાચ તેમને જવાની રજા આપીશ, પરંતુ અંજનાની મામીઓ, બહેનો અને નગરજનો નહિ જ આવવા દે.' માનસવેગે પ્રલાદને પ્રાર્થનાપૂર્વક કહ્યું. વળી, જે ક્ષણે આપ અમને બોલાવશો ત્યારે અમે ત્યાં હાજર થઈશું. હનુમાનને આદિત્યપુર બતાવવું તો પડશે ને!” પવનંજયે નાના હનુમાનની સામે જોયું. પ્રસ્લાદે હનુમાનને તેડી લીધો અને છાતી સરસો ચાંપ્યો. દાદાજી, તમે ક્યાં જાઓ છો!” હનુમાને પ્રલાદનું મુખ પકડીને પૂછયું. હનુમાનના સાકરના ટુકડા જેવા શબ્દો સાંભળીને અલ્લાદનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. તારા ઘેર જઈએ છીએ!” અલ્લાદે હનુમાનના પ્રશ્નનો જવાબ આપ્યો. “મારું ઘર તો આ છે!' હનુમાને પવનંજયની સામે જોયું. પ્રસ્તાદ શું જવાબ આપે? સેનાપતિએ ખંડમાં પ્રવેશ કર્યો. પ્રણામ કરીને કહ્યું : મહારાજા, વિમાનો તૈયાર થઈ ગયાં છે.” “હા, અમે તૈયાર જ છીએ,' રાજા મહેન્દ્રની સાથે પ્રલાદ બહાર નીકળ્યા. પોતપોતાના પરિવાર સાથે રાજાઓ વિમાનમાં પ્રવેશ્યા. પવનંજયે અને અંજનાએ અલ્લાદનાં ચરણોમાં નમસ્કાર કર્યા પછી કેતુમતીનાં ચરણોમાં પણ નમસ્કાર કર્યા. બંનેએ આશીર્વાદ આપ્યા. હનુમાનને સારી રીતે શિક્ષણ આપવા વગેરેની મીઠી શિખામણ આપી, પ્રલાદે વિમાનને ગતિ આપી. રાજા મહેન્દ્રને પણ પવનંજયે પ્રણામ કર્યા. અંજનાએ પિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા અને વિમાન આકાશમાર્ગે ચાલતું થયું. સહુને વળાવી માનસવેગ પવનંજયનો હાથ પકડી, પોતાના મંત્રણાખંડમાં ગયો. પવનંજયને પોતાની બાજુમાં જ બેસાડી માનસવેગે કહ્યું : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281