________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮. હનુમાન યુદ્ધની વાટે...
કયા મનુષ્યના જીવનમાં મૂંઝવણ નથી આવી? કયા જીવને જીવતરમાં વિપ્નો નથી પડ્યા? સંસારવાસી હો યા સંસારત્યાગી હો, જ્યાં સુધી આત્મા દેહધારી છે ત્યાં સુધી બાહ્ય-આંતરિક વિદનો તેના જીવન પર પ્રહાર કરતાં રહે છે. સત્ત્વહીન મનુષ્ય એ વિઘ્નોનો બલિ બની જાય છે, જ્યારે સત્ત્વસભર મનુષ્ય એ વિક્નોને પગ તળે કચડી નાખી, આગળ ધપતો રહે છે.
ગુણિયલ આત્મા પર પણ જગત પ્રહારો કરે છે અને દુર્જન આત્મા પર પણ જગત પ્રહારો કરે છે. અંજના જેવી મહાસતી પર આપત્તિઓ પડવામાં કંઈ કમી ન રહી, પરંતુ મહાસતી ધીરતા ને વીરતાથી આપત્તિઓના ઝંઝાવાતમાં નિશ્ચળ રહી. ઝંઝાવાત શમી ગયો... તેને પુનઃ સ્વસ્થતા અને પ્રસન્નતા પ્રાપ્ત થઈ.
સહુ હનુપુરનગરમાં આવી પહોંચ્યાં. રાજા માનસવેગે સારા ય નગરમાં મહોત્સવ જાહેર કર્યો. આઠ દિવસ સુધી વિદ્યાધરોએ જિનમંદિરોમાં ભિન્ન ભિન્ન પ્રકારે પ્રભુભક્તિ કરી. માનસવેગે છૂટે હાથે દાન દીધાં. હજુપુરની શેરીએ શેરીએ નાર્યારંભો યોજાયા. અંજના-પવનંજયના ઘેરઘેર ગુણ ગવાયા.
પ્રલ્લાદે અને મહેન્દ્ર જવા માટે અનુજ્ઞા માંગી. માનસવેગે વધુ રોકાવા માટે આગ્રહ કર્યો, પરંતુ બંને રાજાઓ પોતપોતાનાં રાજ્ય સૂનાં મૂકીને આવ્યા હતા, ગયા વિના ચાલે એમ ન હતું. માનસવેગે જવાની અનુજ્ઞા આપી. પ્રલાદે પવનંજય, અંજનાઅને હનુમાનને આદિત્યપુર આવવા કહ્યું. પરંતુ પવનંજયની ઇચ્છા હવે આદિત્યપુર જવાની ન હતી. એવી રીતે અંજના તથા હનુમાનને આદિત્યપુર મોકલવા માટે માનસવેગ પણ રાજી ન હતા. પ્રલ્લાદ અને તુમએ ઘણો આગ્રહ કર્યો, પરંતુ માનસવેગનું મન ન માન્યુ.
પિતાજી, આપ એમ ન ધારશો કે આપના પ્રત્યે અમને રોષ છે. પરંતુ અંજન-હનુમાનને અહીં ફાવી ગયું છે, તેમ જ મામાજી પણ અમને મોકલવા રાજી નથી. વળી આદિત્યપુર પ્રસંગે આવવામાં ય ક્યાં વિલંબ થવાનો છે?' પવનંજયે અલ્લાદને કહ્યું.
પ્રસ્લાદની આંખમાં આંસુ ભરાયાં. તેના વયોવૃદ્ધ મુખ પર દુઃખની રેખાઓ ઊપસી આવી.
એ તો નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે અંજના નિષ્કલંક હોવા છતાં કેતુમતીએ તેને કલંકિત કરી હતી. તેમાં રાજા પ્રલાદે પણ સાથ આપ્યો હતો. જાણે કે
For Private And Personal Use Only