Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 208
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ જૈન રામાયણ એણે ખોટી રીતે અંજનાને કલંકિત કરી હોય, તેમ ન બની શકે? માટે મારી તો નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અંજનાને અહીં છૂપી રીતે રાખીને તેનું પાલન કરવું જોઈએ. કારણ કે એ આપની કન્યા છે.' યુવરાજ મૌન થઈ ગયો. પરંતુ રાજા મહેન્દ્રના ચિત્તને શાન્તિ ન વળી. મહામંત્રી! સાસુઓ તો બધે આવી જ હોય છે, પરંતુ પુત્રવધૂઓનું આવું ચરિત્ર ક્યાંય સાંભળ્યું નથી. વળી આ ગર્ભ પવનંજયનો ન જ હોઈ શકે કારણ કે આપણે સાંભળ્યું છે, કે બાવીસ વર્ષથી એકધારો પવનંજયને અંજના પર દ્વેષ છે. માટે કેતુમતીએ જે શિક્ષા કરી છે તે યોગ્ય જ કરી છે.' મહેન્દ્રના હૃદયમાં સદાચારનું મૂલ્ય કેટલું બધું ઊંચું અંકાયેલું હશે? સદાચારનું પક્ષપાતી હૃદય પોતાની પુત્રી પ્રત્યે પણ મચક આપતું નથી. અલબત્ત, અંજના દોષિત નથી, છતાં એના પર જે આરોપ આવી પડ્યો છે, એ સાંભળીને મહેન્દ્ર ધ્રુજી ઊઠે છે અને પુત્રીને પણ નહિ સંઘરવાનો નિર્ણય કરે છે. પર મહેન્દ્રનું આ એકાંગીપણું છે. સદાચારનો તીવ્ર પક્ષપાત જરૂરી છે, પરંતુ તે પોતાના માટે જ હોવો જોઈએ. બીજાના પ્રત્યે એવો સદાચારનો તીવ્ર પક્ષપાત ન હોવો જોઈએ, કે જેનાથી સામી વ્યક્તિને અન્યાય થઈ જાય, સામી વ્યક્તિનું જીવન હોડમાં મુકાઈ જાય. સંપૂર્ણ તપાસ કર્યા વગર, કોઈના કહેવા પરથી કે પોતાના મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માની હલકાઈ કરવી ન્યાયસર નથી. એવી રીતે કોઈના કહેવા પરથી, ઊડતી વાતો સાંભળીને, મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માને જે બદનામ કરે છે, તે જીવો એવાં કઠોર પાપકર્મો બાંધે છે કે જેના વિપાકો ભવાંતરમાં આંખમાંથી લોહીનાં આંસુ પડાવે તેવા આવે છે. છે કે અહીં અંજનાનું જ દુષ્ટ પ્રારબ્ધ મહેન્દ્રને સાચી સૂઝ પ્રાપ્ત થવા દેતું નથી; પરંતુ એટલા માત્રથી મહેન્દ્રનો નિર્ણય નિર્દોષ ઠરતો નથી. કર્મોની સજામાંથી મુક્ત થઈ શકતો નથી. મહારાજા! અંજનાના લોહીમાં આપના સુસંસ્કારો રેડાયેલા છે. વર્ષો સુધી એણે આપના ઘરમાં રહીને શીલ અને સદાચારની ઉચ્ચ કેળવણી લીધેલી છે. આપણે વર્ષો સુધી આપણી આંખ સામે એને જોઈ છે. એક નાનકડો ય કાળો ડાઘ એમાં જોવા નથી મળ્યો. અંજના પવિત્ર છે. સુશીલ છે.” મહામંત્રીએ ગંભીર બનીને ઊંચા અવાજે પોતાને લાગતી સાચી વાત રજૂ કરી. પરંતુ રાજા મહેન્દ્ર પર એ વાતની જરાય અસર ન થઈ. તે પોતાના વિચારોમાં દૃઢ રહ્યો. તરત જ દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281