________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૪૫ માતાજી, અહીંથી હું અને પવનંજય વિખૂટા પડ્યા હતા, માટે હવે આટલામાં જ એની તપાસ કરવી જોઈએ. એ અહીંથી બહુ દૂર નહિ ગયો હોય.” કેતુમતી વિમાનમાં જ રાખી રાજા પ્રહલાદ, મહામંત્રી અને પ્રહસિતે આજુબાજુ તપાસ કરી. પરંતુ ત્યાં પવનંજયનો ભેટો ન થયો. ત્રણેય ભેગાં થયાં. હવે કઈ બાજુ તપાસ કરવી, તેનો વિચાર કરવા લાગ્યા ત્યાં જ મહામંત્રીની દૃષ્ટિ એક બાજુ પડી અને મહામંત્રી ચમકી ઊઠ્યા, “આ પગલાં પવનંજયનાં જ છે!” પ્રહસતે તપાસ કરી તો એને પણ એ પગલાં પવનંજયનાં જ લાગ્યાં. પ્રાદને વિમાન લઈ પોતાની પાછળ પાછળ ઉડ્ડયન કરવાનું કહીં, પ્રહસિત અને મહામંત્રી પગલે પગલે આગળ વધવા લાગ્યા. પગલાં વધુ ને વધુ સ્પષ્ટ થતાં હતાં. ચાર-પાંચ કલાક સુધી સતત ચાલતાં ચાલતાં તેઓ “ભૂતવન'ના નાકે આવી લાગ્યા. બસ, અહીંથી પગલાં દેખાવાં બંધ થઈ ગયાં! અને વનમાં પ્રવેશવું એમને ઠીક ન લાગ્યું. પ્રસ્સાદનું વિમાન પણ ત્યાં આવી પહોંચ્યું. વિમાન નીચે ઉતારી અલ્લાદે પૂછ્યું :
કેમ? હવે કઈ બાજુ પગલાં દેખાય છે?'
હવે પગલાં દેખાતાં નથી. પરંતુ એમ લાગે છે કે તેમણે આ ભયાનક વનમાં જ પ્રવેશ કરેલો હોવો જોઈએ.' 'તો આપણે અંદર જઈને તપાસીએ.”
એમાં આપણી કાર્યસિદ્ધિ થવામાં સંશય છે. કારણ કે આ વન અતિ ભયાનક ગણાય છે. પવનંજય કઈ બાજુ ગયો હોય અને આપણે કોઈ જુદી જ દિશામાં પહોંચી જઈએ તો?'
સહુ વિચારમાં પડી ગયા. થોડીક ક્ષણો વિચારી લઈ પ્રહસિતે કહ્યું : ‘આપણે ધીમે ધીમે અને વનમાં જોઈ શકાય એટલી ઊંચાઈએ વિમાનનું ઉયન કરવું જોઈએ. એ રીતે આપણે આખા વનમાં તપાસ કરી શકીશું.'
હા, એ વાત બરાબર છે.' મહામંત્રીએ પ્રસિતની વાતને આવકારી. પ્રહસિતે વિમાનને તૈયાર કર્યું. સૌ વિમાનમાં બેસી ગયા અને વિમાન ભૂવન” ઉપર ગતિશીલ બન્યું.
મુખ્ય સેનાપતિએ ઉત્તર શ્રેણીના એકે-એક ગામ-નગરને ખૂબ જ ચીવટથી તપાસવા માંડ્યા અને દરેક નગરમાં સેનાપતિને એવા ચતુર પુરુષો પણ મળવા લાગ્યા. તેથી તપાસ ખૂબ જ ઝડપથી અને કુનેહથી થવા માંડી. કલાકો પછી કલાકો વીતવા લાગ્યા... દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી
For Private And Personal Use Only