________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૧૭ તેના હૃદયમાં ભરપૂર અનુરાગ જમ્યો. અંજનાને પોતાની ગુફામાં રહેવાની અનુજ્ઞા આપી. તેણે અંજનાના દુઃખી દિલનું રંજન કરવા એક સુંદર કાર્યક્રમ ગોઠવ્યો
મણિચૂલ ગંધર્વ દેવ હતો. ગાવામાં ને બનાવવામાં ત્રિભુવન-મશહુર! પતિપત્નીએ ગીતગાન શરૂ કર્યા.
શ્રી જિનેશ્વર ભગવંતની સ્તવના આરંભી. નહિ રાગની ખામી, નહિ તાલની ખામી, નહિ ગાવાની ખામી કે નહિ વાજિત્રવાદનની ખામી! |
થોડી વાર પહેલાંના ભીપણ વાતાવરણને દેવ-દેવીએ પલવારમાં પલટી નાખ્યું. સુકાઈ ગયેલી વનરાજી ખીલી ઊઠી. કરમાઈ ગયેલા છોડ પર પુષ્પો બેઠાં. જંગલનાં નિર્દોષ પશુ-પંખીઓ પણ ગુફાના દ્વારે ટોળે વળ્યાં. ગુફાના પાપાણોમાં જાણે વાચા પ્રગટી!
અંજાનું દિલ ડોલી ઊઠયું. દેવ-દેવીની પ્રભુસ્તવના પર તે પ્રસન્ન થઈ ગઈ. દુઃખ ભુલાઈ ગયું. સુખ ઊભરાઈ ઊઠયું.
અંજનાને પ્રસન્નવદના થયેલી જોઈ મણિચૂલ ગંધર્વ સ્તવના પૂર્ણ કરી. મહાસતીને પુનઃ પ્રણામ કર્યા અને જવાની રજા માંગી.
મણિચૂલના ગયા પછી અંજનાએ વસંતતિલકા સામે જોયું. વસંતતિલકા ગુફાના દ્વાર તરફ અનિમેષ દૃષ્ટિએ જોઈ રહી હતી. તે કોઈ ગહન વિચારમાં ગરકાવ થયેલી હતી.
બહુ ઊંડા વિચારમાં ઉતરી ગઈ છે કાંઈ?' વસંતતિલકાના ખભે હાથ મૂકી અંજનાએ પૂછ્યું.
એવું તો ખાસ કાંઈ નથી, પરંતુ મને આમાં કંઈ સમજ પડતી નથી.' શામાં?' આ બધી પરિસ્થિતિમાં..' કઈ પરિસ્થિતિ ?' “જ્યારે દેવો તારા સતીત્વના મહાન મૂલ્યાંકન કરે છે, ત્યારે સ્વજન ગણાતા મનુષ્યો સતીત્વનાં મૂલ્યાંકન તો નહિ, પરંતુ ઉપરથી બદનામ કરે છે!” ‘એ તો પ્રારબ્ધની લીલા છે ને બહેન.”
બીજું , ઘડીકમાં સુખની છાંય અને ઘડીકમાં દુ:ખનો તીવ્ર તાપ - આ પણ વિચિત્રતા ન સમજાય તેવી છે..”
For Private And Personal Use Only