________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૬
જૈન રામાયણ
ઊતરવા જ ન દેવાં. પરંતુ એ ત્યારે શક્ય બને કે જો વરુણ સમજી જાય; પણ વરુણને સમજાવવો શી રીતે? ખર અને દૂષણ જેવા પરાક્રમી સેનાનીઓને જીવતા પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર વર્ણ અને એના પરાક્રમી પુત્રાને સમજાવવા ઘણા મુશ્કેલ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજયે ઘણું વિચાર્યું. તેની કુશાગ્ર બુદ્ધિએ માર્ગ શોધવા માંડ્યો. રાવણનું મન સંતોષાય અને વરુણનું માન સચવાય, એવો માર્ગ પવનંજયે શોધી કાઢ્યો.
આ બાજુ રાવણે યુદ્ધનો વ્યૂહ રચી કાઢ્યો હતો. સેનાપતિ તરીકે તેણે પવનંજયને પસંદ કર્યો હતો, એટલે પવનંજયને બોલાવી, પ્રથમ દિવસના યુદ્ધની વ્યૂહરચના સમજાવી દીધી.
‘વ્યૂહરચના ઘણી જ સુંદર છે!' પવનંજય રાવણની પ્રશંસા કરી. રાવણે સ્મિત કર્યું. પવનંજયની પીઠ પર હાથ ફેરવાતાં કહ્યું :
વ્યૂહરચનાની સફળતા સેનાપતિ પર નિર્ભર હોય છે.
'એ તો આવતી કાલે જ આપને પ્રતીત થશે.’
‘શાબાશ! એક વીરને છાજે તેવા જ તારા શબ્દો છે. મને તારામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. હું યશનો ભાગીદાર બનીશ.'
‘પણ... મને એક જુદો વિચાર આવે છે.'
‘શો?’
‘જીવસંહાર થાય નહિ અને કાર્યસિદ્ધિ થઈ જાય!’
‘એ કેવી રીતે?’
વરુણને મૂર્ખ બનાવીને કાર્ય સિદ્ધ ક૨વાનું!’
‘સમજ ન પડી.'
‘ખર દૂષણને એક વાર મુક્ત કરીને આપણી પાસે લઈ લેવા, પછી બીજી વાર્તા!'
‘પણ એમ કંઈ સીધેસીધા એ ખર-દૂષણને આપણા હવાલે કરે તેવો નાદાન વરુણ નથી ને?'
બસ, એને નાદાન બનાવવાનું કામ મારું
‘એટલે, શું આપણે ભીખ માગવાની?’
‘હરગિજ નહિ, આપણે જરા ય માથું નમાવવાનું નહિ અને ખર-દૂષણ એ આપણને સોંપી દે, એ રીત અજમાવીએ.
For Private And Personal Use Only