________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જૈન રામાયણ પણ હવે તે પણ માનવાનો અવસર આવી ગયો છે! આપણે કાલે પ્રભાત પૂર્વ દિશાના ઉદ્યાનમાં જવાનું. ત્યાં વરરાજ ખર અને દૂષણને આપણા હવાલે કરશે અને આપના અનેક પરાક્રમી મિત્ર રાજાઆમાં અકા વધારો થશે. વરુણરાજ આપના મિત્ર બનશે!”
રાવણને આમે ય પવનંજય પ્રત્યે સહજ પ્રેમ હતા. પવનંજયની વાતન તે નકારી શક્યો નહિ. જેવી રીતે પવનંજયે વરણારાજને મિત્રરાજ તરીકે માન્ય કર્યા હતા તેવી રીતે સ્વીકારવાની વાત રાવણના ગળે ઊતરી, બિભીષણને પણ વાત ગમી.
જા તો કુંભકર્ણને બોલાવી લાવ.' રાવણે કુંભકર્ણને બોલાવવા બિભીષણને કહ્યું. બિભીષણ કુંભકને બોલાવી લાવ્યો. પવનંયે સમગ્ર વાત કુંભકર્ણને કહી સંભળાવી. કુંભકર્ણને પણ યોજના ગમી.
પવનંજય યુદ્ધવિરામ માટેની અનુજ્ઞા લઈ, તરત જ પોતાની શિબિરમાં આવ્યો. પ્રહસિતને કેટલીક રસમજૂતી આપી, વણરાજ છાવણી તરફ રવાના કર્યો અને છાવણીમાં યુદ્ધવિરામનો ધ્વજ લહરાવી દીધો.
અચાનક બંને પક્ષ યુદ્ધવિરામના ધ્વજ લહેરાઈ ગયેલા ઈ, સહુને આશ્ચર્ય થયું. પ્રભાતે લંકાપતિ કુંભકર્ણ, બિભીપણ, પવનંજય વગેરેને લઈને પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચ્યો. બીજી બાજુ પ્રહસિત, વરુણરાજન તેમના પુત્રો સાથે ખર અને દૂષણને લઈને ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
બંને રાજાઓ મળ્યા. વરરાજે ખર અને દૂષણને રાવણના હવાલે કર્યા. બંને રાજાઓ વચ્ચે મંત્રીની સ્થાપના થઈ.
રાવણ પવનંજય પર ખુશ થઈ ગયો. પોતાની સાથે લંકા આવવા માટે તેમણે પવનંજયને સમજાવ્યો, પરંતુ પવનંજયની ઇચ્છા તત્કાલ ઘેર પાછા ફરવાની હતી. તેણે રાવણની રજા માગી, રાવણે અનેક ભેટો આપી તેને વિદાય કર્યો.
પોતાના સંન્યની સાથે પવનંજય આકાશમાર્ગે નગર તરફ પાછો વળ્યો. માનસરોવરના તટ પરથી જ્યાં એ પસાર થયો કે અંજનાની સ્મૃતિ તાજી થઈ. મહિનાઓ પહેલાંની એ રાત તેની સામે પ્રત્યક્ષ થઈ. “એજનાનું શું થયું હશે?' પવનંજયે કહ્યું. કેમ એવી શંકા કરે છે?' પ્રહસિત પવનંજયને કહ્યું. “ના ના, શંકા નથી કરતો, પરંતુ જિજ્ઞાસા થાય છે.' પ્રહસિતને પવનંજયે કહ્યું.
For Private And Personal Use Only