Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 251
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ સતીની શોધમાં કેમ?' હું આદિયપુર જાઉં.” હા, જઈને મોટા પાયા પર અંજનાની શોધ આરંભી શકાશે. મારું હૃદય હજુ કહે છે કે “અંજન મળશે..” પરંતુ તું સાહસ ન કરીશ. તને શોધવા છતાં અંજના ન મળે તો તું આદિત્યપુર આવી જજે.” પવનંજય મૌન રહ્યો. એ પ્રહસિતને જોઈ રહ્યો. તને આશ્ચર્ય થશે કે હું એકાએક કેમ આદિત્યપુર જવા તૈયાર થઈ ગયો. પરંતુ હું ઊંઘી ગયો. નિદ્રામાં મને એવું આત્મસંવેદન થયું કે મારે આદિત્યપુર જવું અને અંજનાની શોધ કરાવવી.” પવનંજય વિચારમાં પડી ગયો. ‘શું અંજના મળી શકશે?” એના ચિત્તમાં અનેક વિકલ્પો ઊભરાવા લાગ્યા. પરંતુ ત્યાં તો પ્રહસિત પવનંજયનો હાથ પકડ્યો. ‘મિત્ર! બસ ત્યારે, હું જાઉં છું. ફરીથી તને કહું છું કે તું ઉતાવળથી સાહસ ન કરીશ. અલ્પકાળમાં જ તને શુભ સમાચાર મળશે.' બંને મિત્રો ભેટ્યા. આંસુથી એક બીજાનાં વક્ષ:સ્થળ ભીંજાઈ ગયાં. પ્રહસિત અનુજ્ઞા માગી અને આકાશમાર્ગે તે આદિત્યપુર તરફ રવાના થયો. પવનંજય આકાશમાર્ગે જતા પ્રહસિતને જોઈ રહ્યો. જ્યાં સુધી એના દષ્ટિપથમાંથી પ્રહસિત દૂર ન થાય ત્યાં સુધી એણે જોયા જ કર્યું. તેની આંખમાંથી આંસુઓની ધારા તૂટી પડી, તેનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. તેને મૂચ્છ આવી જતાં તે નીચે પડી ગયો. અહીં કોણ એના પર શીતલ પાણીનો છંટકાવ કરનાર હતું? અહીં કોણ એના પર રત્નજડિત વીંઝણાના વાયુ નાંખનાર હતું? અહીં કોણ એના મસ્તક પર વહાર્યો હાથ ફેરવનાર હતું? જીવનની અસારતા, નિ:સહાયતાનું આનાથી વધીને કયું દૃષ્ટાંત હોઈ શકે? પરન્તુ આવા દષ્ટાંતો જનતા સમક્ષ રજૂ કરીને, કેવળ કીર્તિ કમાવાની વૃત્તિ તો માનવહૃદયને ન સમજી શકનાર ક્રૂર હૈયામાં જ જાગી શકે. પવનંજયનું ભગ્ન હૃદય. હૃદયના થઈ ગયેલા ટુકડાને જઈને, તો એના પ્રત્યે સંવેદના દાખવવાની છે. એના હૃદયના ટુકડાઓને જોડવા માટે જો આપણું હૃદય કામ લાગી શકે એમ હોય તો એ કુરબાન કરવાનું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281