________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૪. હનુમાનજીનો જન્મ
બંને સખીઓ મહામુનિ પાસેથી પોતાના પૂર્વભવને સાંભળીને સ્તબ્ધ બની ગઈ. ચિત્તમાં અનેક વિચારો જાગ્યા અને શમી ગયા. ત્યાં વસંતતિલકાએ હાથ જોડીને વિનમ્રભાવે પૂછ્યું :
‘ભગવંત, આ મારી સખીના ગર્ભમાં કયો જીવ આવ્યો છે. એ કૃપા કરીને કહેશો?'
મહામુનિએ સ્વસ્થ બની કહ્યું :
‘હે સુશીલે! અંજનાના ગર્ભમાં એક ઉત્તમ જીવ આવેલો છે. તેના પૂર્વભવોનો વૃત્તાંત ઘણો જ મોટો છે, પરંતુ અહીં હું તમને ટૂંકમાં જ કહીશ.’
મંદર નામનું નગર.
પ્રિયનંદી નામે એક ણક ત્યાં વસે.
જયા નામની તેની શીલવંતી પત્ની.
કાળક્રમે જયાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ દમયંત.
ગુણની ખાણ, કળાનો ખજાનો.
એક દિવસ દમયંત ઉઘાનમાં ફરવા ગયો. ત્યાં તેણે સાધુઓને જોયા. અધ્યયનમાં લીન અને ધ્યાનમાં મસ્ત.
દમયંતે તેમની પાસેથી ધર્મ સાંભળ્યો, સમકિત લીધું, નિયમો લીધા.
બસ, દમયંત શ્રદ્ધાવંત શ્રાવક બન્યો.
દાન દે છે.
તપ તપે છે.
શીલ પાળે છે.
મૃત્યુ થયું. બીજા દેવલોકનો તેજસ્વી દેવ થયો.
દેવલોકમાં ય ક્યાં કાયમી રહેવાય છે? ત્યાંથી તેનું ચ્યવન થયું.
મૃગાંક નગરમાં હરિચન્દ્ર નામનો રાજા,
તેની પ્રિયંગુલક્ષ્મી રાણીની કુક્ષિએ પુત્ર તરીકે જન્મ્યો.
તેનું નામ સિંહચન્દ્ર.
પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતનો ધર્મ આરાધી તેણે જીવન પૂર્ણ કર્યું.
For Private And Personal Use Only