________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા ૧૭. ઈન્દ્ર મુનીન્દ્ર બને છે શીલ અને સ્વમાન વેચીને જીવવાની તીવ્ર લાલસામાં ફસાયેલા આજના યુગને કદાચ આ વાત નહિ સમજાય, પરંતુ એક એવો ય યુગ હતો કે જે યુગમાં શીલની ખાતર પ્રાણોની આહુતિ અપાતી, સ્વમાનની ખાતર જીવનનાં બલિદાન અપાતાં!
પિતાએ ભલે રાવણના કારાગારમાંથી પોતાને મુક્ત કર્યો, પરંતુ મુક્ત થયા પછી ઇન્દ્રને જીવને ચેન નથી પડતું. સ્વમાન હણાઈ ગયા પછી જીવવું, એને મન મોતથી અધિક દુઃખદાયી લાગ્યું. રથનૂપુરમાં આવ્યા પછી ઇન્દ્ર નથી કોઈની સાથે હસતો કે નથી કોઈની સાથે ભળતો, નથી મેવા-મીઠાઈ ખાતો કે નથી બહાર ફરતો! એ અરસામાં વનપાલકે આવીને ઇન્દ્રને વધામણી આપી.
એક મહામુનિ ઉપવનમાં પધાર્યા છે. ચન્દ્ર જેવા સૌમ્ય છે અને સૂર્ય જેવા તેજસ્વી છે!”
“એમનું નામ શું છે?' ‘નિર્વાણસંગમ!” “નામ સરસ છે! નિર્વાણ સાથે જીવનો સંગમ કરી આપે તે નિર્વાણ સંગમ!
વનપાલકને પ્રીતિદાન દઈ રવાના કર્યો અને પોતે મહામુનિનાં દર્શન કરવા માટે તૈયાર થયો. સાથે કોઈને લીધા વિના જ ઇન્ટે જવાનું વિચાર્યું કારણ કે વિશિષ્ટ જ્ઞાની મહાત્મા પાસેથી તેને પોતાના પ્રશ્નોનાં સમાધાન મેળવવાં હતાં.
તે ઉપવનમાં પહોંચ્યો. તેણે એક એકાંત સ્વચ્છ ભૂમિભાગમાં મહામુનિ જોયા. મુનિવરને જોઈને જ તે આનંદિત થઈ ગયો. મુનિના મુખ ઉપર અસંખ્ય ગુણો મૂર્તિમંત થયેલા હતો અને તેમનું અપૂર્વ આત્મતેજ તેમની આંખોમાં ચમકી રહેલું હતું. મહામુનિનાં ચરણોમાં વંદના કરી, ઇન્ટે યોગ્ય આસન લીધું.
ભગવંત, એક પ્રશ્ન પૂછવો છે, આપની રજા હોય તો પૂછું.' ઇન્ડે કહ્યું. ‘રાજનુ! પૂછી શકે છે. નિર્વાણસંગમ મુનિએ કંઈક સ્મિત કરીને કહ્યું. મનુ સુખી થાય છે એની પાછળ કયું કારણ હોય છે?' પૂર્વે ઉપાર્જેલું પુણ્યકર્મ.” મનુષ્ય દુઃખી થાય છે એની પાછળ પણ કયું કારણ હોય છે ?' ‘પૂર્વે ઉપાર્જેલું પાપકર્મ.” ‘રાવણે મારી જે નાલેશી કરી તેમાં મારું પૂર્વે ઉપાર્જેલું પાપ-કર્મ કારણ
For Private And Personal Use Only