________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૫૧ જેમ જેમ છrદ્રની વૈરાગ્યભરપૂર વાણી નીકળતી જાય છે તેમ તેમ સહસાર ગંભીર વિચારસાગરમાં ડૂબતા જાય છે. જ્યારે જ્યારે પુત્રવિરહનું ચિત્ર આંખ સામે આવે છે ત્યારે ત્યારે તેમની આંખો આંસુભીની થઈ જાય છે.
“બેટા શું કરું? તારો વિરહ મારાથી સહન થાય તેમ નથી.” સંસાર ખસના છેડાથી પોતાની આંખો લૂછી.
છતાંય મારે તને દુઃખી નથી કરવો. બેટા, તને દુ:ખી કરીને મારે સુખ ન જોઈએ.'
પિતાનાં તાત્વિક વચનોએ ઇદ્રા દિલને હચમચાવી નાંખ્યું. તેણે વયોવૃદ્ધ પિતાનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું.
સંસારત્યાગ કરીને તું સુખી થઈશ અને તને સુખી થયેલો જોઈને હું પણ સુખી થઈશ, હા, રાગ છે એટલે ક્ષણભર આઘાત લાગશે, પરંતુ મારા રામની ખાતર તારા આત્માની ઉન્નતિ ન રોકાય.” સહસારે આકાશ સામે જોયું, આંખમાંથી બે આંસુ ઇન્દ્રના મસ્તક પર પડયાં.
આખા રથ પર નગરમાં ઇન્દ્રની સંસારત્યાગની વાત વાયુવેગે પ્રસરી ગઈ. રાજમહેલમાં, સ્વજન - પરિજનોમાં પણ વાત પહોંચી ગઈ. સ્વજનો અને નગરનાં અગ્રગણ્ય નાગરિકોનાં ટોળેટોળાં ઇન્દ્રને મળવા માટે આવવા લાગ્યાં.
ઇન્દ્ર પોતાના પુત્ર દત્તવીર્યનો રાજ્યાભિષેક કરવા સચિવમંડળ આદેશ કરી દીધો. એ જ દિવસે રાજ્યાભિષેક કરીને ઇન્દ્રને સંયમમાર્ગે જવું હતું, તેથી મંત્રીમંડળ વિનાવિલંબે રાજ્યાભિષેકની પૂર્ણ તૈયારીઓ કરી દીધી. આખું નગર રાજાને અભિનંદવા અને ઇન્દ્રને સંયમમાર્ગે વળાવવા ભેગું થયું.
રાજપુરોહિતે રાજસિંહાસન પર દત્તવીર્યને બેસાડી, રાજતિલક કર્યું અને પ્રજાએ “મહારાજા દત્તવીર્યની જય'નો ગગનભેદી ધ્વનિ કર્યો.
બસ, ત્યાં પુત્રનો અભિષેક થયો કે તરત જ ઇન્દ્ર મહાલયમાંથી બહાર નીકળી ગયો. પિતા સહસારનાં ચરણોમાં પ્રણામ ફરી, સીધો તે ઉદ્યાનમાં નિર્વાણાસંગમ મહામુનિ પાસે પહોંચ્યો. પાછળ લાખો પ્રજાજનો પણ પહોંચ્યા. પોતાના પરાક્રમી રાજાને જતો જઈ પ્રજાજનોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
ઇન્દ્ર ગુરુદેવને વંદન કરી સંયમ આપવા માટે નમ્ર પ્રાર્થના કરી. નિર્વાણાસંગમ મહામુનિએ ત્યાં ઇન્દ્રને ચારિત્રજીવન આપ્યું.
ક્ષાપૂર્વના રાજા ઇન્દ્ર ક્ષણ પછી મુનિવર ઇન્દ્ર બની ગયા. આ બાજુ રાવણને લંકામાં એક સમાચાર મળ્યા.
For Private And Personal Use Only