________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુિખ પછી સુખ
૧૭૩ “જાણું છું બહેન, મારાં કરેલાં કર્મોનું જ આ ફળ હું ભોગવી રહી છું. પરંતુ કંઈ સમજાતું નથી કે મને શું થઈ ગયું છે. એમના પ્રત્યે મારા દિલમાં જરા ય પ નથી, અlીતિ નથી. એ તો મહાન ગુણનિધિ છે.' વળી આંખોમાં આંસુનાં પૂર ઊમટ્યાં, વસંતતિલકાએ પોતાના પાલવથી આંસુને લૂછી નાંખ્યાં.
હું અભાગણ છું, મેં તેમને દુ:ખી કર્યા, હું તેમને સુખી ન કરી શકી. બસ, મને આ વાત વારંવાર યાદ આવે છે ને મારું હૈયું...”
તું અભાગણ નથી. તું તો મહાન ભાગ્યશાળી છે, દોષ પવનંજયનો છે. જો આ પ્રમાણે જ કરવું હતું તો પરણતાં પહેલાં એમણે વિચાર કરવો જોઈતો હતો..” વસંતતિલકાએ પોતાના હૈયાની વરાળ કાઢી.
‘એવું ન બોલ વસંતા, મનુષ્યને કે કોઈ પણ જીવને દુઃખ આવે છે તે પોતાનાં પાપકમથી આવે છે. મારું એવું કોઈ પાપકર્મ ઉદયમાં આવ્યું હશે કે જેના પરિણામે તેમના જેવા ગુણાનિધાનના હૈયામાં પણ મારા માટે કોઈ અશુભ ભાવ જાગ્રત થયો છે.”
વર્ષો વીતવા લાગ્યાં. સારા યે રાજ કુળમાં વાત પ્રસરી ગઈ કે પવનંજયે પરણ્યા પછી અંજનાનો ત્યાગ કરી દીધો છે. પવનંજયની માતા કેતુમતીએ પણ જ્યારે આ વાત જાણી ત્યારે તેના દિલને ભારે આઘાત લાગ્યો. તેણે પુત્રને ખૂબ જ સમજાવ્યો છતાં પવનંજય એકનો બે ૧ થયો. અંજનાના કયા ગુનાથી અંજનાનો ત્યાગ કર્યો છે, એ વાત પણ કહુમતીએ પૂછી, પરંતુ પવનંજય કોઈ ગુનો બતાવી શક્યો નહિ. શું બતાવે? ગુનો હોય અને સિદ્ધ કરી શકે એમ હોય તો બતાવે ને? હા, પોતે જ પોતાના મનમાં પડેલો સંશય કહે અને ખુલાસો માગે તો તો સુખદ સમાધાન થઈ જાય.
અને આવી રીતે જ મોટે ભાગે જીવ કોઈ નિરપરાધી જીવને દંડી રહ્યો હોય છે. એમાં પણ વડીલો જ્યારે નાનેરાંઓ પ્રત્યે, આ રીતે કોઈના કહેવા ઉપરથી કે વાતને પૂર્વાપરના સંબંધથી જાણ્યા વગર કોપાયમાન બને છે ત્યારે મહાન અનર્થ સર્જાય છે. નાનેરાંઓનાં જીવન જોખમાય છે. પ્રાજ્ઞ વડીલો તો કોઈના કહેવા પરથી કે વાતના પૂર્વાપરના સંબંધને જાણ્યા વગર કોઈના માટે નિર્ણય ન બાંધે, કોઈ નિરપરાધી જીવને ન દંડે. - કેતુમતી પણ વારંવાર અંજનાની પાસે આવે છે અને આશ્વાસનના બે શબ્દો કહી જાય છે. અંજના માટે તેના હૈયામાં પ્રેમ, વાત્સલ્ય અને સહાનુભૂતિ ભરેલાં છે. અંજના તો નથી કોઈની સાથે બોલતી, નથી કોઈની સાથે હસતી કે નથી ક્યાંય ફરવા જતી. બરા, એણે તો પોતાના ચિત્તને અરિહંત પરમાત્માના
For Private And Personal Use Only