________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮n
જૈન રામાયણ “કેમ?” પાપનું પ્રાયશ્ચિત્ત કરવા.' પવનંજયનું અંગ પરસેવાથી રેબઝેબ થઈ ગયું. “કયું પાપ?' આશ્ચર્યથી પ્રહસિતે પૂછ્યું. “અંજના પ્રત્યે કરેલો ઘોર અન્યાય.'
પ્રહસિતની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં. એ પવનંજયના અંગેઅંગે ભેટી પડ્યો. પવનંજયની આંખો આંસુભીની બની ગઈ. એ પ્રહસિતના હાથ પકડી પ્રહસિતને ઝરૂખામાં લઈ ગયો.
“જો પેલી ચક્રવાકી, કેવું દારુણ કલ્પાંત કરે છે ?' પવનંજયે આંગળી ચીંધીને પતિવિરહથી ઝૂરતી, ચક્રવાકી પ્રહસિતને બતાવી.
‘મિત્ર, આ ચક્રવાકીએ આજે મારા નિષ્ફર-કઠોર હૈયાને પીગળાવી દીધું છે. પતિનો માત્ર રાત્રિનો વિરહ પણ આ ચક્રવાકીને દાક્ય કલ્પાંત કરાવે છે, ત્યારે મેં લગ્નદિનથી માંડીને આજ સુધી, બાવીસ બાવીસ વર્ષો સુધી અના ત્યાગ કર્યો છે. એનું શું થયું હશે?'
એકીટશે ચક્રવાકીને જતો પવનંજય આંસુભરી આંખે અને વેદનાપૂર્ણ અવાજે બોલ્યું જાય છે.
‘જરૂર, એ તપસ્વિની મારી નિષ્ફરતાના પર્વત નીચે કચડાઈ રહી છે, વળી એનો જે તિરસ્કાર કરીને હું નીકળ્યો છું, તે તો તેનું મોત...'
તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ. તેનું શરીર ધ્રુજી ઊઠ્યું. તેણે પ્રહસિતના હાથને જોરથી દબાવી દઈ, તેની છાતી પર પોતાના મુખને દબાવી દીધું. મિત્ર, શોક ન કર. બાજી હજુ હાથમાં છે.' હું પાપી છું, દુર્મુખ છું, અધમ છું.”
મનુષ્યના હાથે ભૂલ થવી એ સહજ છે, પરંતુ આજે તને તારી ભૂલ સમજાઈ છે, તેથી મારા મનને અપૂર્વ આનંદ થયો છે.'
અત્યારે જ આપણે નગરમાં જઈએ....” પવનંજયે કહ્યું. “હા, નહિતર એ તપસ્વિની જરૂર આજે વિયોગદુઃખમાં રઝૂરીને પ્રાણનો ત્યાગ કરશે.' પ્રહસિતના અંત:કરણમાં ભય જાગી ગયાં. બન્ને મિત્રોએ જરા ય વિલંબ ન કરતાં આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
0
0
0
For Private And Personal Use Only