________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ પછી સુખ
૧૭૫ વરુણ એક યુદ્ધકુશળ રાજવી હતો. રાજીવ પુંડરીક વગેરે એના પુત્રો તો વળી પિતા કરતાં ય સવાયા હતા. નગરની બહાર આવી, રાજીવે યુદ્ધની અદ્ભુત વ્યુહરચના ગોઠવી દીધી. ખર અને દૂષણ પણ રાક્ષસંન્યના કુશળ સેનાપતિઓ હતા. રાવણની સાથે અનેક યુદ્ધમાં તેમણે પોતાનું પરાક્રમ દાખવી, રાવણની પ્રીતિ સંપાદન કરી હતી. - દૂતે કહ્યું : “વરણના પુત્રોએ રાક્ષસસૈન્ય સામે દારુણ જંગ માંડ્યો. ખર અને દૂપાને હંફાવવા માંડશે. બીજી બાજુ વરણે રાક્ષસસૈન્યમાં હાહાકાર વર્તાવવા માંડ્યા. દિવસો સુધી બંને પક્ષે સૈન્યની ખૂબ ખુવારી થઈ. પરંતુ એક દિવસ વરુણ અને પુંડરીકે સીધા ખર અને દૂષણને જ પડકાર્યા. જોતજોતામાં રાજીવે ખરને અને પુંડરીક દૂષણને જીવતો ને જીવતો પકડી લીધો.
જ્યાં ખર-દૂષણ પકડાયા ત્યાં રાક્ષસસૈયના હાલ બેહાલ થઈ ગયા. કેટલુંક સૈન્ય મરાયું, કેટલુંક પકડાયું અને કેટલુંક ભાગી છૂટ્યું.
ખર-પણને પાંજરામાં પૂરી વરુણ વિજયનાદ કરતો પોતાની નગરીમાં પાછા ફર્યાં. પરાજયના સમાચાર વાયુવેગે લંકા પહોંચી ગયા. પુન: વરુણને વશ કરવા લંકાપતિ તૈયાર થયા અને પોતાની સાથેના સંબંધમાં જોડાયેલા તમામ વિદ્યાધર રાજાઓને બોલાવી લાવવા માટે ખાસ દૂતો રવાના કર્યા અને મને આપની પાસે મોકલ્યો છે.”
દૂતે વિસ્તારથી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપી દીધો. પ્રદ્ધાદ રાજા પણ રાવણ સાથેની પ્રીતિના કારણે અને ખુદ રાવણનો જ સંદેશો આવવાથી લંકા જવા માટે તૈયાર થયા. યુદ્ધસજ્જ થવા માટે સંન્યને આદેશ દઈ દીધો.
પવનંજયે લંકાપતિ ની વાત અક્ષરશઃ સાંભળી હતી. પિતાને લંકા જવા માટે તૈયાર થયેલા જોઈ, પવનંજયે મસ્તક નમાવી, ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું :
“પિતાજી, આપ અહીં જ રહો. લંકાપતિના મનોરથોને પૂર્ણ કરવા મને જવાની આજ્ઞા આપો.'
ભાઈ, આ, તો વરુણની સામે જંગ ખેલવાનો છે. તે સાંભળ્યું કે વરણના પત્રો કેવા પ્રબળ પરાક્રમી છે? ખર-દૂષણ જેવા મહારથીઓને જીવતા પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા..”
પિતાજી! હું વિદ્યાધર રાવ પ્રલાદનો પુત્ર છું, મારા પરાક્રમનો સ્વાદ વરુણપુત્રોને જરા ચાખવા દો. બધા ખર-દૂષણ નથી હોતા.' પવનંજયે મક્કમ અવાજે જવાની દરખાસ્ત રજૂ કરી. અલ્લાદે પણ પવનંજયના પરાક્રમ પર
For Private And Personal Use Only