________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
જૈન રામાયણ આનંદમાલીમુનિ રથાવર્ત-પર્વત પર પધાર્યા. ત્યાં તડિત્મભે (તે) આનંદમાલી મુનિન જોયા જોતાં જ અહિલ્યાનો સ્વયંવર આંખ સામે તરવરી ઊઠ્યો. કંપના, ક્રોધના તણખા ઝરવા લાગ્યા. તેનું ચિત્ત ધૂંધવાઈ ઊઠર્યું. ધ્યાનદશામાં ઊભેલા આનંદમાલી મુનિ પાસે તે પહોંચ્યો. મહામુનિને દોરડાથી બાંધ્યા. મુનિ તો ન હાલે કે ન ચાલે! એ તો એમના ધ્યાનમાં લીન હતા! ઉશ્કેરાયેલા તડિ–ભે મુનિને બાંધીને મારવા માંડ્યા. વર યાદ કરી કરીને મારવા માંડ્યા. મુનિ સમભાવે સહન કરતા હતા, પરંતુ મોટા ભાઈ કલ્યાણ ગુફાધર શ્રમણપતિ તડિ–ભની આ દુષ્ટતા જોઈને ધમધમી ઊઠ્યા.
કલ્યાણ ગુણધર મહામુનિની પાસે તેજલેશ્યાની શક્તિ હતી. તેમણે તરત જ તડિ–ભ ઉપર તેજલેશ્યા મૂકી. જેમ વીજળી ઝાડ પર પડે અને ઝાડ બળીને રાખ થઈ જાય!
તડિ–ભની સાથે જ તેની પત્ની “સત્યશ્રી' હતી, તડિપ્રભને સાધુની વિટંબણા ન કરવા માટે તેણે વારંવાર વીનવ્યો હતો, પરંતુ તડિત્રભ ન માન્યો. જ્યાં તેજોલેશ્વા છુટી અને તડિત્માભના અંગમાં પ્રવેશી ત્યાં સત્યશ્રીએ કારમી ચીસ પાડી. ચોધાર આંસુ પાડતી તે કલ્યાણગુણધર મુનિનાં ચરણોમાં પડી. કાકલુદી કરવા લાગી. પોતાના પતિને તેજલેશ્યાથી મુક્ત કરવા વીનવવા લાગી.
મુનિ તો કરુણાના સાગર! સત્યશ્રીનો કણ કલ્પાંત જઈ તરત જ તેજલેશ્યા પાછી ખેંચી લીધી.
ઇન્દ્ર! તું ત્યાં તેજલેશ્યાનો ભોગ ન બન્યો. તું બચી ગયા. પરંતુ ત્યાં તે દારુણ કમાં બાંધ્યાં. બસ, રાવણથી તારો જે પરાભવ થયો તેનું આ કારણ છે.” નિર્વાણસંગમ મુનિએ ઇન્દ્રના પ્રશ્નનું સમાધાન પૂર્ણ કર્યું.
પા-અડધો કલાક મુનિની વિટંબણા... અને એનું ફળ, રાવણના હાથે સારાયે જગત સમક્ષ મહાન નાલેશી! આ છે જીવસૃષ્ટિ પર કર્મોનું શાસન, આ છે જીવની અવળચંડાઈનું દારુણ પરિણામ!
ઇન્દ્ર! બાંધેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે. આ ભવમાં બાંધેલાં કર્મો બીજા જ ભવમાં ઉદય આવે એવો કોઈ નિયમ નથી. લાંબા કાળે પણ ઉદયમાં આવે! તડિ...ભના ભવ પછી તો વચ્ચે તે બીજા ઘણા ભવો કર્યા. તે ભવોમાં પેલું બાંધેલું પાપકર્મ ઉદયમાં ન આવ્યું. પણ આ ભવમાં આવ્યું! વળી, આ નિયમ કેવળ તારા માટે નથી, ઇન્દ્રથી માંડી યથાવત્ કીડા માટે પણ આ સિદ્ધાંત છે. સંસારની સ્થિતિ જ એવી છે. જ્યાં સુધી આત્મા કર્મ પરવશ છે ત્યાં સુધી
For Private And Personal Use Only