________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૧૩ વળે. સગરને પોતાના નગરમાં જવું લજ્જાસ્પદ બની જાય. ‘શું કરો તો સલસા મધુપિંગને ન વરે? “સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ તેવા જ કોઈ ઉપાય કરવો જોઈએ. સગર મનોમન વિચાર કરવા લાગ્યો. તેની ઊંઘ હરામ થઈ ગઈ. પલંગમાં પડ્યો પડ્યો તે અપાર વેદના અનુભવવા લાગ્યા. સુલતાને પરણવાના પ્રશ્ન કરતાં હવે તેને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશન..., પ્રસિદ્ધિ જાળવવાના પ્રશ્ન વધુ પીડી રહ્યો હતો.
એક વિષયની સ્પૃહા જીવાત્મા કરે છે. તે વિષયમાંથી સુખ પ્રાપ્ત કરી લેવાનો મનોરથ કરે છે. તે મુજબ પ્રવૃત્તિ કરે છે. પરંતુ વિષયમાંથી મનોરથ મુજબ સુખ તો મળશે પણ તે પહેલાં દુઃખ, ત્રાસ અને પરિશ્રમ તો ખરાં જ! સુલાસા એ જગતનો વિષય હતો. સગરે એની સ્પૃહા કરી. સુલસામાંથી સુખ મેળવવા તેને પરણવા આવ્યો! એને પરણીને સુખ મેળવશે ત્યારે ખરું, પણ તે પૂર્વે એ કેટલાં દુઃખ, ત્રાસ અને મૂંઝવણ અનુભવી રહ્યો છે?
બીજી બાજુ હવે સુલતાને મેળવવા મધુપિંગનો ઘાટ ઘડી નાંખવાનું સગર વિચારે છે! સુખની સ્પૃહી... વિષય-જન્ય સુખની સ્પૃહા કેટલી ભયંકર હોય છે! બીજાને મારીને, બીજાને બદનામ કરીને પણ જો વિપયજન્ય સુખ મળે છે, તો સુખલોલુપી જીવ તે જતું નહિ કરે.
સંસારનાં સુખો આવાં છે. કોઈના પતન પર કોઈનું ઉત્થાન છે! કોઈના સ્મશાને કોઈનું સદન છે! કોઈના વિસર્જનમાં કોઈનું સર્જન છે! કોઈના ખૂલનમાં કોઈનું શરણ છે! કોઈના દફનમાં કોઈની વાસનાનું શમન છે! કોઈના કંદનમાં કોઈ મનોહર રમણ છે!
મધુપિંગને બદનામ કરી નાખવાનો એક ઉપાય સગરે વિચાર્યો. તરત જ પોતાના પુરોહિત વિશ્વભૂતિને બોલાવ્યો અને કહ્યું : “વિશ્વભૂતિજી! આજે તમારું એક મહત્ત્વનું કામ ઉપસ્થિત થયું છે.' ફરમાવો રાજેશ્વર! આપના પ્રત્યેક કાર્ય માટે સેવક તૈયાર જ છે.' ‘જો કે તમારા જેવા તેજસ્વી માટે આ કાર્ય અશક્ય નથી, છતાંય કઠિન તો જરૂર છે.”
રાજન! જ્યાં પ્રેમ છે ત્યાં કંઈ જ કઠિન નથી, આપ ફરમાવો!” રાજપુરોહિતે સગરના ચિત્તને પ્રકૃલ્લિત કરી દીધું.
તમારે કાલે ને કાલે પત્રક્ષVIRાંદિતા નામનો ગ્રંથ રચવાનો છે, તેમાં રાજાનાં કેવાં લક્ષણ હોવાં જોઈએ તેનું વિશદ વર્ણન કરવાનું કે જે લક્ષણો
For Private And Personal Use Only