________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧૨૩ અહીં દેવલોકના “ભક જાતના દેવો મનુષ્યલોકનાં તીર્થોની યાત્રા કરીને પાછા વળતા હતા. આ બાળકના પ્રકૃષ્ટ પુણ્ય દેવોનાં દિલને આકર્ષ્યા. બાળકને ઉપાડી જવાનો વિચાર કરી દેવો બાળકની પાસે આવ્યા અને બાળકને વિમાનમાં બસાડી, પોતાના સ્થાને ચાલ્યા ગયા, દવાઅ અ વિચાર ન કર્યો કે, જ્યારે આ બાળકને એની માતા નહિ જુએ ત્યારે એ કેવું કારમું રુદન કરશે? એની સ્થિતિ કેવી કફોડી થશે?
સંસારી જીવોની આવી જ સ્થિતિ હોય છે. પોતાના સુખની પાછળ સંસારી જીવ બીજાનાં દુ:ખનો વિચાર નથી કરતો; બીજાનાં દુ:ખની પરવા કર્યા વિના કેવળ પોતાના સુખનાં જ વિચાર કરનારા સંસારી જીવો હોય છે.
કર્મી પાણી ભરીને આશ્રમમાં આવી, આવીને તરત જ પોતાના પુત્રની પાસે ગઈ. પરંતુ સુકોમળ પર્ણની પથારી ખાલી પડી હતી. કુર્માના પેટમાં મોટી ફાળ પડી. તેણે આજુબાજુ તપાસ કરી, પરંતુ પુત્રને ન જોયો. કર્મી ખૂબ વિહ્વળ બની ગઈ. તેની આંખમાંથી આંસુની વર્ષા થવા લાગી. કરણ વિલાપ કરતી તે અટવીમાં ફરવા લાગી. પુત્રના વિરહમાં તેના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યો. તે ખાવાનું ભૂલી, પીવાનું ભૂલી, બસ, પુત્રને યાદ કરી કરીને રદન કરવા સિવાય તેને કઈ સૂઝતું નથી. અનેક પ્રકારના વિકલ્પોમાં તે અટવાવા લાગી. “શું મારા પુત્રને કાંઈ જંગલી પશુ ઉપાડી ગયું હશે? શું મારા લાડલાને કોઈ ચોર ઉપાડી ગયો હશે? અરેરે.. મારા એ વહાલા પુત્રનું શું થયું હશે?...” તેને હવે આશ્રમ આ કરો લાગવા માંડયો.
ઘણા દિવસો વીત્યા પણ પુત્રનો પત્તો ન લાગ્યો, ત્યારે કુર્મીએ પતિને માર્ગે જવાનો નિર્ણય કર્યો. સભાગ્યે “ઇમાલા નામનાં સાધ્વીજી મહારાજ મળી ગયાં. તેમની પાસે કુર્માએ સાધ્વીજીવન સ્વીકાર્યું. શોકની લાગણીને વૈરાગ્યના અમૃતકુંડમાં ઝબોળી દઈ કુર્મી પ્રશાંત બની.
દવોએ બાલ નારદને ખૂબ લાલનપાલનથી ઉછેરવા માંડ્યો. દેવાની કાળજી એટલે પછી પૂછવું જ શું? એકલું લાલનપાલન જ નહિ, પરંતુ અનેક કળા, અનેકવિધ શાસ્ત્રો પણ શીખવ્યાં. યવનમાં પ્રવેશતાં નારદજીને દેવોએ ‘આકાશગામિની' વિદ્યા આપી.
નારદજીએ પોતાનો વેશ વિચિત્ર રચ્યો! તેમણે પોતાના માથે વાળ વધવા દીધા અને વધેલા વાળની મજેદાર જટા બાંધવા લાગ્યા! મસ્ત યવન અને ઊંચી જટા, નારદજી ન તો ગૃહસ્થ લાગે કે ન તો સાધુ! બસ, આકાશમાં
For Private And Personal Use Only