________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જૈન રામાયણ રાજન! કહી શકવા જીભ ઊપડતી નથી, છતાંય કહું છું. જ્યારથી મારી દૃષ્ટિ વનમાલા પર પડી છે ત્યારથી તેના પ્રત્યે હું અનુરાગી બન્યો છું...'
“અરે મિત્ર! તારી ખાતર હું રાજ્ય પણ તજવા તૈયાર છું. પછી એક સ્ત્રીનો ત્યાગ કરવો તો શું વિશેષ છે? આજે જ તું વનમાલાનો સ્વીકાર કર.'
કેવો અંધ મિત્રસ્નેહ! કેવો અદ્ભુત મિત્ર રાગ! મિત્રની ખાતર પોતાની પ્રાણપ્રિયાનો ત્યાગ કરવા સુમિત્ર તૈયાર થયો. કેવી મૂઢ મિત્ર પ્રીતિ! પ્રીતિએ તેને પ્રિયાને અર્પણ પણ કરાવ્યું. પ્રભવને એને સ્થાને રવાના કરી સુમિત્ર તાબડતોબ વનમાલાના આવાસમાં આવ્યો.
સ્વામીને અચાનક આવેલા જોઈ વનમાલા એકદમ ઊભી થઈ ગઈ. સુમિત્ર પલંગ પર બેસી ગયો. વનમાલા ભૂમિ પર પતિનાં ચરણોમાં બેઠી.
પ્રિયે! આજે પ્રીતિની કસોટી છે. સુમિત્રે કહ્યું. “પ્રીતિ કસોટીએ ચઢે ત્યારે જ તેના મૂળસ્વરૂપમાં ચમકે છે સ્વામી!' વનમાલાએ એક ઉત્તમ સ્ત્રીને ઉચિત પ્રત્યુત્તર વાળ્યો.
જરૂર કહો.' ‘તારે મિત્ર પ્રભવની પાસે જવાનું છે અને તેની ઇચ્છાઓને તાબે થવાનું છે...' જેવી સ્વામીની આજ્ઞા.'
તો અત્યારે જ તૈયાર થઈ જાઓ...' વનમાલાએ તરત જ શણગાર સજ્યા અને પ્રભવના મહેલે આવી પહોંચી.
નિશાનો અંધકાર વ્યાપ્યો હતો. પ્રભવના આવાસમાં દીપકો ઝળહળી રહ્યા હતા. પ્રભવના ચિત્તમાં શોક અને હર્ષની ભરતી-ઓટ પુરજોશમાં શરૂ થઈ હતી. શયનખંડમાં તે આ કુળ-વ્યાકુળ ચિત્તે આંટા મારી રહ્યો હતો. ત્યાં ખંડમાં વનમાલાની સુકોમળ દેહલતા દાખલ થઈ. નૂપુરના નાદે પ્રભવને વિચારનિદ્રામાંથી જાગ્રત કયો.
કોણ છો તમે? અને અત્યારે અહીં.'
વનમાલા.' એક જ શબ્દનો પ્રત્યુત્તર! પ્રભાવ પાષાણની મૂર્તિની જેમ ખંડમાં ઊભો ને ઊભો થંભી ગયો, તેને ભૂમિ ભમતી લાગી. “મહારાજા દ્વારા હું આપને અર્પણ કરાઈ છું. મારો સ્વીકાર કરો!” પણ તમે મહારાજાની આજ્ઞા..' “મારા માટે પતિની આજ્ઞા એટલે પરમાત્માની આજ્ઞા, દુ:ખી મિત્રની ખાતર મારા પતિ સમગ્ર રાજ્યનો પણ ત્યાગ કરી દેવા કે પ્રાણ પણ
For Private And Personal Use Only