________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જૈન રામાયણ મને કબૂલ છે. પરંતુ આપણો ન્યાય તોલનાર કોણ? આપણો સહાધ્યાયી રાજા વસુ.' “મને કબૂલ છે!' મેં કહ્યું, સત્યવક્તાને વળી ક્ષોભ શાનો? મને જરાય ભય ન હતો. પરંતુ અમારી આ ચર્ચા પર્વતની માતા સાંભળી રહી હતી. તેણે જ્યારે અમારી શરત સાંભળી ત્યારે તે ધ્રુજી ઉઠી. પર્વતની માતાએ પર્વતને એકાંતમાં બોલાવ્યો. અને કહ્યું : “મેં તમારા પિતાના મુખે સાંભળ્યું હતું કે “અજ' એટલે ‘ત્રણ વર્ષનું જૂનું ધાન્ય', માટે નારદ કહે છે તે સાચું છે.'
પણ મેં તો...'
પ્રતિજ્ઞા કરી છે, તે અયોગ્ય કર્યું છે. અભિમાનમાં જિહુવાકેદની શરત કરીને તેં મહાન અનર્થ કર્યો છે..' માતાએ દુભાતે હૈયે કહ્યું.
ખરેખર, વિચાર્યા વિના, પુખ્ત વિચાર કર્યા વિના, મનુષ્ય પગલું ભરે છે તો તે આપત્તિઓના ખાડામાં જ ધકેલાઈ જાય છે. “મા, હવે જે થયું તે થયું, હવે તે મિથ્યા ન થઈ શકે.' પર્વતની ભાવિ વિપત્તિની કલ્પનાથી માતા વિહ્વળ બની ગઈ.
0
0
0
For Private And Personal Use Only