________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧3. એ મહાકાળ અસર કોણ? પધારો માતા! આજે આપને જોઈને મેં જાણે ક્ષીરકદંબ ગુરુદેવને જ જોયા!' ‘પુત્ર! તું કુશળ તો છે ને?
‘આપના પુનિત આશીર્વાદથી. પરંતુ હવે આપ કહો, હું આપનું આતિથ્ય શું કરું? હું આપને શું અર્પણ કરે?'
પુત્રરક્ષાની પૂર્વભૂમિકા સર્જવા ક્ષીરકદંબાચાર્યની પત્ની વસ રાજાની રાજસભામાં આવી પહોંચી. કોઈ દિવસ નહિ અને આજે ગુરુપત્નીને આવેલ જોઈ વસુ તરત જ સિંહાસન પરથી ઊભો થઈ ગયો. ગુરુપત્નીને નમન કરી, સત્કાર કર્યો.
‘હે રાજેન્દ્ર! ધનનું પ્રયોજન નથી, ધાન્યની જરૂર નથી, પુત્ર વિના ધનધાન્યને મારે શું કરવું?' ‘પણ માતાજી પર્વત.' એની પ્રાણભિક્ષા માગવા આવી છું રાજન...'
માતાજી! ગુરુદેવ ક્ષીરકદંબાચાર્ય જેમ મારા માટે પૂજ્ય અને પાલનીય હતા, તેવી જ રીતે આજે પર્વત પણ મારે માટે પૂજનીય છે, પાલનીય છે. ગુરુપુત્ર પ્રત્યે ગુરુની જેમ જ વર્તવું જોઈએ, એ વંદની આજ્ઞા છે.'
રાજન! તમને ધન્ય છે.
પણ એ તો કહો કે અકાળ કોણ મોત માગી રહેલી છે? મારા ભાઈને મારવાની કોને કુબુદ્ધિ સૂઝી છે? માતાજી, શા માટે આટલી બધી વિવળતા?' ગુરુપુત્ર પર્વત પર કોઈ મહાન આપત્તિ આવી પડેલી જાણી, વસુનો રોષ ભભૂકી ઊઠ્યો.
ત્યારે ગુ૫ત્નીએ પર્વત અને મારા વચ્ચે અજ' શબ્દ અંગે થયેલો વિવાદ, તેમાં થયેલી શરત, વસુની લવાદી, નારદના મતની સત્યતા, છતાં પુત્રરક્ષા માટે પુત્રના મતનો પક્ષ કરવાની હિમાયત, વગેરે વસ્તુને સારી રીતે સમજાવ્યું.
વસુ ગુપત્નીની વાત સાંભળીને ચોંકી ઊઠ્યો. અસત્યનું સમર્થન કરવાની વાત એટલે સત્યવાદી વસુના માટે કારમો આઘાત, તેણે ખૂબ ગંભીરતાપૂર્વક ગુપત્નીને કહ્યું :
For Private And Personal Use Only