________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી
૭
ખડ્રગનું તાં રાવણના હાથમાં લટકતું જ રહી ગયું. જ્યાં રાવણ જ વાલીની બગલમાં લટકાં થઇ ગયો, પછી ચન્દ્રહાસનું તો પૂછવું જ શું!
કુંભકર્ણ, બિભીષણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે રાક્ષસ સુભટોના પ્રાણ ઊંચા થઇ ગયા. વાલીએ તો જંબુદ્વીપને પ્રદક્ષિણા દેવા માંડી: એક વાર, બે વાર... ત્રણ વાર અને ચાર વા!
બગલની ભીંસમાં જકડાયેલા રાવણની દશા તો અધિક દુઃખદાયી બની ગઈ. લાખો, કરોડો સૈનિકોની સમક્ષ વાલીએ કરેલી પોતાની ભયંકર કદર્શના તેના સ્વમાની... અને અભિમાની આત્માને માટે નરક કરતાં પણ અધિક લાગી. હજાર હજાર વિદ્યાઓનાં સ્વામી પણ વી૨ વાલીની આગળ અશરણ અને અનાથ બની ગયો!
વાલીએ ચાર વાર પ્રદક્ષિણા દઈ આવીને દશમુખને બગલમાંથી મુક્ત કર્યો. શરમથી, લજ્જાથી રાવણનું મસ્તક નીચું નમી ગયું. એક બાજુ રાક્ષસ સૈન્ય અને બીજી બાજુ વાનર સૈન્ય, વચમાં ઊભા છે રાવણ અને વાલી. વીર વાલીએ ત્યાં ગંભીર ધ્વનિથી કહ્યું :
વીતરાગ સર્વજ્ઞદવ શ્રી અરિહંતપરમાત્મા સિવાય આ વિશ્વમાં મારે કોઈ વંદનીય નથી, પૂજનીય નથી. ધિક્કાર છે એ ગ્રૂપમૂલક અભિમાનને કે જે અભિમાને, મને નમાવવાની આશા રાખનારા એવાની આ મહાદુર્દશા કરી.'
‘તેં કરેલા અમારાં માતાપિતા પરના ઉ૫કા૨ની સ્મૃતિથી મેં તને મૃત્યુના ભયમાંથી મુક્ત કર્યો છે. એટલું જ નહિ પણ આ ધરતીનું રાજ્ય પણ તને આપું છું માટે તું રાજી થા! જ્યાં સુધી હું તારો પ્રતિસ્પર્ધી છું ત્યાં સુધી તારી રાજ્યપિપાસા પૂર્ણ નહિ થાય. માટે હું આજે પરમ પારમેશ્વરી દીક્ષા સ્વીકારીશ. કિષ્કિન્ધાનાં રાજા સુગ્રીવ બનશે. પરંતુ તે તારી આજ્ઞાને ધારણ કરશે. બસ! તમારું મંગલ થાઓ.'
સુગ્રીવ, નલ, નીલ.. વગેરે હજારો નરવીરોની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી. વહાલા વાલીને દૂર દૂર જતા જોઈ વાન૨સૈન્ય ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું.
રાવાની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ ગયાં. કુંભકર્ણ, બિભીષણ વગેરે વાલીના પરાક્રમ ઉપર અને અંથીય અધિક વાલીના મહાત્યાગ પર સ્તબ્ધ બની ગયા.
વાલીએ આમ અણધાર્યો સંસારત્યાગનો નિર્ધાર કેમ કર્યો? વાલીને એવું તે શું નિમિત્તે મળ્યું કે આમ અચાનક તેણે સંયમમાર્ગે જવાનો નિર્ણય કર્યો?
For Private And Personal Use Only