________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ આવવા દે,’ કંઈક સ્વસ્થ બનીને દશમુખે કહાં. વિઘાધરે દશમુખના આવાસમાં પ્રવેશ કર્યો. મસ્તકે અંજલિ જડી, રાવણને પ્રણામ કર્યા અને નતમસ્તકે ઊભો રહ્યો.
કેમ આવવું થયું છે?' દશમુખે ગંભીર વદને પૂછયું.
લંકાપતિ! હું પવનવેગ નામનો વિદ્યાધર છું. આપનો વફાદાર સેવક છું. મારે એક મહત્ત્વની વાત કહેવી છે.”
કહો, મૂંઝાશો નહિ...”
પાતાલલંકામાંથી કિષ્કિન્વિના પુત્રો સૂર્યરજા અને યક્ષરજા પણ પોતાની નગરીમાં ગયા. પરંતુ ત્યાં તો વૈતાદ્ય પર્વતના રાજા ઇન્દ્રના પરાક્રમી સુભટ યમ શાસન કરે છે. સૂર્યરજા અને યક્ષરજાને તે પરસવા દીધા.' “એમ! એટલું અભિમાન છે?” મિત્રો પ્રત્યેના અનુરાગથી રાવણ ઉશ્કેરાયો.
હા દેવ! પછી તો સૂર્યરજા અને યક્ષરજાએ યમની સાથે યુદ્ધ કર્યું, પરંતુ યમ એટલે મહાદાસાગ, મહાન પરાક્રમી. બંને ભાઈઓએ અને વાનરવીરોએ ખૂબ સમય સુધી ટકકર ઝીલી છતાં તેઓ ન ટકી શક્યા. યમે બંને ભાઈઓને પકડી. કચકચાવીને બંધનથી બાંધ્યા અને નર ફાગાર જેવા કેદખાનામાં ધકેલી દીધા. એની સાથે એના સમગ્ર પરિવારની, સંન્યની પણ એ જ દુર્દશા કરી. હે પરાક્રમી રાજા! આ તબક્કે આપની સમક્ષ મહાન કર્તવ્ય અદા કરવાની ફરજ ખડી થઈ છે.
વાનરવંશના એ ભાઈઓ આપના વંશપરંપરાગત સેવકો છે, એટલું જ નહિ પણ આપના માટે તે પ્રીતિના પાત્ર છે. તેમને યમ નરકાગારમાંથી મુક્ત કરવા એ આપનું કર્તવ્ય છે.
રાવણે દાંત કચકચાવ્યા અને તેણે પવનવેગને કહ્યું :
“ખરેખર, મારા તે આશ્રિતોની દુર્દશાનું કારણ હું જ છું. આશ્રય આપનારની નબળાઈ વિના આશ્રિતની કદર્થના થઈ ન શકે. મેં એમનું ધ્યાન ન રાખ્યું અને દુષ્ટ યમે એમની આવી વિટંબણા કરી... હમણાં જ એ યમને તેમનું ફળ ચખાડું છું.' યુદ્ધપ્રિય દશમુખે યુદ્ધનાં નિશાન ગગડાવ્યાં! સૈન્યના આશ્ચર્યનો પાર ન રહ્યો.
વળી કોના બાર વાગ્યા?’ હાથમાં ગદા ઉછાળતાં કુંભકર્ણ દોડતો આવ્યો અને પૂછયું.
જે ફાસ્યા હોય તેના.'
For Private And Personal Use Only