________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં
“અરે એ છોકરો નથી, એ તો હજાર વિદ્યાઓનો નાથ છે, નાથ!' કુલમંત્રીએ ઇન્દ્રને ઠંડો પાડ્યો, બળવાન શત્ર સાથે યુદ્ધ કરવું એટલે સામે ચાલીને કુલના ક્ષયને નાતરવાનું. એવી મૂર્ખાઈ એ વૃદ્ધમંત્રીઓ ઇન્દ્રને કરવા દે નહિ. યમને વૈતાઢય પર્વત પરનું “સુરસંગીત” નગર આપ્યું. યમે ત્યાં પોતાની રાજધાની સ્થાપી, રાજ્ય કરવા માંડ્યું.
યમ ભાગ્યો એટલે યમની સેના પણ ભાગી. દશમુખે કિષ્કિન્ધામાં પ્રવેશ કર્યો, સૂર્યરજાને કિષ્કિન્ધાના સિંહાસને સ્થાપિત કયો અને યક્ષરજાને યક્ષપુરનગરનો અધિપતિ બનાવ્યો. રાવણ ત્યાંથી સીધો જ પુષ્પક વિમાનમાં બેસી લંકામાં ગયો. પિતામહના સિંહાસન પર વિધિપૂર્વક રાવણનો અભિષેક કરવામાં આવ્યો.
એ દિવસે લંકાવાસીઓના હર્ષસમુદ્રમાં ભવ્ય ભરતી આવી. રાવણ જેવો અજોડ પરાક્રમી અને હજાર વિદ્યાઓનો સ્વામી પોતાના રાજ્યનો શાસક બનતો હોય ત્યારે કોને હર્ષ ન થાય? દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યાં.
એક દિવસ રાવણની સ્મૃતિમાં મગિરિ ઉપસ્થિત થયો. મેરુ પરનાં શાશ્વત જિનચૈત્યોને હારવાની અભિલાષા પ્રગટી.
शुभे शीघ्रम्। તેણે તરત જ પોતાના અંતઃપુરની સાથે ગિરિયાત્રાનો કાર્યક્રમ ગોઠવી દીધો. પૂરા આડંબર સાથે પ્રયાણ કરી દીધું. પરંતુ રાવણના ગયા પછી લંકામાં એક રોમાંચક કિસ્સો બની ગયો. મેઘપ્રભ નામનો એક વિદ્યાધરનો પુત્ર “ખર’ લંકા પર થઈને પસાર થતો હતો. લંકાના રાજમહાલયની અગાસીમાં રાવણની બહેન ચંદ્રના બેઠી હતી.
ચંદ્રનખાની યૌવનથી લચી પડેલી દેહવેલડી પર ખર વિદ્યાધરની દૃષ્ટિ પડી. ચંદ્રનના પ્રત્યે તેના હૈયામાં અનુરાગ પ્રગટ્યો. ચંદ્રનખાએ પણ ખરને જતાં જોયો ત્યાં વિકારને પરવશ થઈ ગઈ. ખરે ચંદ્રનખાના ભાવોને પરખ્યા; ખર ત્યાંથી જ ચંદ્રનખાને ઉપાડી પાતાલલંકામાં પહોંચ્યો.
પાતાલુકામાં આદિત્યરજાના પુત્ર ચન્દ્રોદરને રાવણે રાજગાદી પર સ્થાપેલો હતો. પરાક્રમી ખરે ચન્દ્રદરને ભગાડી મૂક્યો, અને પોત પાતાલલંકાનો સ્વામી બન્યો.
મેરુની યાત્રા કરી, રાવણે જ્યાં લંકામાં પગ મૂક્યો ત્યાં જ તેને સમાચાર
For Private And Personal Use Only