________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જૈન રામાયણ “છતાં કુલપરંપરાથી ચાલી આવતી વિદ્યાઓને તો મેળવવી જ જોઈએ. કેમ માં, સાચું ને?'
જરુર ભાઈ, વિદ્યાશક્તિવાળા સામે બાથ ભીડવી હોય તો એકલું બાહુબળ કામ ન લાગે, પણ... ‘પણ શું? તું બોલતાં કેમ અચકાય છે!'
બીજું તો કંઈ નહિ પણ એ વિદ્યાસિદ્ધિ માટે ખૂબ સહન કરવું પડે છે. એ માટે તો અરણ્યમાં જવું પડે.”
તે એમાં શું? અમને અરણ્યમાં ડર લાગશે, એમ લાગે છે તને?' “ના રે ના, એમ નહિ પણ...” “વળી “પણ” આવ્યું?'
હા ભાઈ, તમે અરણ્યમાં જાઓ પછી અહીં મારું શું? તમને એક ક્ષણ વાર પણ મારી આંખોથી છેટાં કરવામાં તો મારા પ્રાણ..”
છ છ! એક વીરમાતા તરીકે તને આ શબ્દ શું છાજે છે? વીરમાતા તત્કાલનો વિચાર ન કરે, પરિણામનો વિચાર કરે, દશમુખે પગ પછાડતાં કહ્યું.
કેકસી દશમુખનો જુસ્સાદાર ચહેરો જોઈ જ રહી. તેની આંખો ચમકી ઊઠી. સિહાસન પરથી ઊભી થઈ, દશમુખના માથે હાથ મૂકી, અંતઃકરણના આશીર્વાદ આપવા લાગી.
દશમુખે, કુંભકર્ણો અને બિભીષણે માતાના ચરણોમાં મસ્તક નમાવ્યાં. કેકસીએ ત્રણેય પુત્રોને શુભાશિષ આપી અને ત્રણેય ભાઈઓ ત્યાંથી નીકળીને પિતામહ સુમાલી તથા પિતા રત્નશ્રવાની પાસે પહોંચ્યા.
પિતાજી! અનુજ્ઞા આપો.' દશમુખે પ્રણામ કરીને પ્રસ્તાવ મૂક્યો. “શાની અનુજ્ઞા?' અચાનક ગંભીર બનીને આવેલા ત્રણેય પુત્રોને જોઈને સુમાલી તથા રત્નશ્રવા આશ્ચર્યમાં પડી ગયાં.
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં જવા માટેની,' દશમુખે સ્પષ્ટતા કરી. સુમાલીએ રત્નશ્રવા સામે જોયું અને રત્નથવાએ સુમાલી સામે જોયું. એમાં વિચાર શો કરવાનો? કહી દો હા મોટા કુંભકર્ણો પોત પ્રકાશ્ય. બધાં હસી પડ્યાં. લો ભાઈ! અમે કંઈ બોલીએ એટલે તમારે હસવાનું આપણે તો તડ ને ફડ
For Private And Personal Use Only