________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાવિજય
પપ થોડાંક રામય વીત્યાં ત્યાં તો આકાશમાં એક મોટો ડુંગર આવતાં દેખાયો. કિલ્લાની બહાર બ્રહ્માંડને ફાડી નાખે તેવો ધબાંગ કરતો મોટો ધબાકો થયો.
જ્યાં ધબાકો થયો ત્યાં આખી લંકા ધ્રુજી ઊઠી. એકે એક સૈનિક ચમકી ઊઠ્યા! હાથમાં આયુધો લઈ જે દિશામાંથી અવાજ આવ્યો તે દિશામાં સૈનિકોએ દોટ મૂકી. પેલા દ્વારપાલી તા ધબાંગ કરતો ધબાકો થતાં ઝબકીને જાગ્યા... અને ઊછળ્યા! પણ મોઢાં ફેરવવા જાય ત્યાં તો મૂછ બંધાયેલી! એકબીજાની સામે જોવા લાગ્યા!
ત્યાં આકાશમાં કુંભકર્ણનું ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. વૈશ્રવણના સુભટો ચારેકોર જોવા લાગ્યા. જોતજોતામાં તો દરવાજા આગળ હજારો સુભટો આવી પહોંચ્યા, બસ, કુંભકર્ણને અને બિભીષણને તો આટલું જ જોઈતું હતું! વૃક્ષ પરથી બિભીષણ નીચે ઊતર્યો અને વૈશ્રવણના સુભટો પર તીણા તીરોની વૃષ્ટિ કરવા માંડી. સુભટો બિભીષણની તરફ ધસ્યા. અનેક શસ્ત્રોથી બિભીષણનો સામનો કરવા લાગ્યા.
આકાશમાંથી જંગી ગદા સાથે કુંભક સુભટોને માથે ત્રાટક્યા! સુભટો ત્રાસ પોકારી ગયા... કુંભકર્ણ અને બિમીપણના એકધારા પ્રહારો સામે સુભટો ન ટકી શક્યા... વાત પહાચી શ્રવણની પાસે.
વંશવાણ ધૂંધવાયો. તરત જ પોતાના મહાસેનાપતિ વીરેન્દ્રને આજ્ઞા કરી જાઓ... એ બંને દુષ્ટોને જીવતા ને જીવતા પકડી લાવો અને સાથે સાથે આ પણ તપાસ કરજો કે એ છે કોણ?' સેનાપતિ પોતાના ચુનંદા સૈનિકો સાથે નગરની બહાર આવ્યો, ત્યાં બિભીપણે કુંભકર્ણને આંખોનો ઇશારો કર્યો. બંનેએ પાતાળલંકાનો રસ્તો પકડ્યો .
આગળ બન્ને ભાઈઓ અને પાછળ વૈશ્રવણના સુભટો. બંને પાસે આકાશ ઉડ્ડયનની વિદ્યા હતી! શીધ્રરંગે બંને ભાઈઓ આગળ વધી ગયા, સુભટો પાછળ રહી ગયા. પરતુ સેનાપતિએ સમજી લીધું કે આ બન્ને પાતાળલંકાને માર્ગે જાય છે, માટે જરૂર આ સુમાલીના જ પાત્રો લાગે છે. પણ ત્રણમાંથી આ બે કોણ કોણ હશે? શું દશમુખ અને કુંભકર્ણ હશે? શું દશમુખ અને બિભીષણ હશે? કે કુંભકર્ણ અને બિભીષણ હશે? સેનાપતિ સુભટો સાથે પાછો ફર્યો. વૈશ્રવણની પાસે આવી ને સર્વ વૃત્તાંત કહ્યો.
બંને ભાઈઓ સ્વયંપ્રભનગરમાં પહોંચ્યા, સીધા પોતપોતાના શયનગૃહમાં જઈને સૂઈ ગયા.
For Private And Personal Use Only