________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ0.
જૈન રામાયણ મોટાભાઈને કહેવાનું કે તેઓ બધું જોયા કરે.' માનશે?” શંકા ઉઠાવતાં કુંભકર્ણે કહ્યું. ચાલો ને અત્યારે જ પૂછી લઈએ!”
હા, એ ઠીક છે... પણ . બાજુમાં જુએ છે તો દશમુખનો રથ દેખાતો નથી.
આગળ નીકળી ગયા લાગે છે.' હા, એમ જ લાગે છે.” તરત બંનેના રથ ઊપડ્યા. સંન્યને વટાવતા વટાવતા દશમુખના રથની બાજુમાં આવી પહોંચ્યા.
“મોટાભાઈ!' મોટા ઢોલના અવાજ જેવો કુંભકર્ણનો અવાજ સાંભળી દશમુખે બાજુમાં જોયું.
કેમ?' ‘એક વાત કહેવી છે.' કુંભક કહ્યું. કહી નાંખો!' કુંભકર્ણને જુએ ને રાવણ હસે નહિ તે બને ખરું? આજે તમે જોયા કરો, અમે બન્ને જ વૈશ્રવણને ખોખરો કરી નાખીએ!' પછી!” કુંભકર્ણ મૂંઝાયો! શો જવાબ આપે?
અરે, તમે તો વૈશ્રવણને સારી રીતે પજવ્યો છે, આજે તો મારા હાથની ખણ મિટાવવાનો મોકો છે! માટે તમે જોયા કરો કે તમારો અજ શું કરે છે!” રાવણે કહ્યું :
થઈ રહ્યું ભાઈ ત્યારે! અમારી વાત અમારી પાસે!' કુંભકર્ણને લાંબી ખેંચપકડ ન આવડે! એ તો સીધી ને સટ વાત કરનારો માણસ,
લંકાની સરહદ પર રાવણનું જંગી સૈન્ય આવી પહોચ્યું. બીજી બાજુ પોતાના પ્રચંડ સૈન્યની સાથે યમના દૂત જેવો વૈશ્રવણ લંકાની બહાર નીકળ્યો. વૈશ્રવણ એટલે વીરતાની મૂર્તિ. વૈશ્રવણ એટલે પરાક્રમીઓનો સ્વામી.
ભાઈ ભાઈની સામે લડવા નીકળે છે! ભાઈ ભાઈનું લોહી લેવા થનગને છે! વૈશ્રવણ કૌશિકાનો પુત્ર, દશમુખ કેકસીનો પુત્ર, કૌશિકા મોટી બહેન અને કકસી નાની બહેન. બ્રાતૃત્વનો સ્નેહઝરો વેરના પ્રચંડ તાપમાં સુકાઈ ગયો.
For Private And Personal Use Only