________________
[૨] વિશુદ્ધ
આત્મા તિરંતર શુદ્ધ, જુદા જુદા સંજોગે દેખાયો અશુદ્ધ
પ્રશ્નકર્તા : આત્માના અશુદ્ધ, શુદ્ધ, વિશુદ્ધ એવા પ્રકારો છે કે આત્મા એક જ જાતનો છે ?
દાદાશ્રી : આત્મા તો એનો એ જ છે. આત્મામાં કંઈ ચેન્જ નથી. ફક્ત જેવા સંજોગો હોય તે પ્રમાણે એને કહેવાય છે. આપણા ઘેરે આ સોનાની થાળી હોય, પણ જમીને ઊઠ્યા હોય ત્યારે એ અજવાળવાની કહે. ‘એંઠી છે’ એવું કહે અને જમીને ના ઊઠ્યા હોય તે પહેલા, ખાવાનું ના મૂક્યું હોય તે પહેલા સોનાની થાળી પ્યૉર છે, શુદ્ધ છે કહે. એટલે એવી રીતે આ શુદ્ધ ને અશુદ્ધ કહે છે. એનો એ જ આત્મા, જુદા સંજોગો લાગવાથી આ અશુદ્ધિ દેખાય છે અને અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે. પોતે શુદ્ધ જ છે.
પ્રશ્નકર્તા : એટલે આત્મા મેલો થાય ખરો ?
દાદાશ્રી : એ મેલો થતો નથી. એને કશું થતું નથી. આ ભ્રામક
માન્યતા મેલી થાય છે.
જીવમાત્ર વિશુદ્ધ, ભ્રાંતિથી મનાય અશુદ્ધ
જીવમાત્ર શુદ્ધાત્મા છે, અવ્યક્ત ભાવે બધાય શુદ્ધાત્મા જ છે. પણ