________________
૧ ૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રકાશ ?
દાદાશ્રી : હા, સચ્ચિદાનંદ, સત્-ચિત્ત-આનંદ. અને આ દીપી રહ્યું છે એ ભગવાનને લીધે. અંધારું છે એ અહંકારનું છે અને અજવાળું છે એ ભગવાનનું છે.
પ્રશ્નકર્તા: પોતાનું સ્વરૂપ એટલે કેવું હોય શરીરમાં ?
દાદાશ્રી : આ બૉડી છે એના જેવું જ, પણ તે આંખ-નાક-કાન એવું ના હોય.
પ્રશ્નકર્તા ઃ ઘનસ્વરૂપમાં હોય ? દાદાશ્રી : ના, ઘનેય ના હોય. એ તો લાઈટ હોય ખાલી.
પ્રશ્નકર્તા ઃ અરૂપી. હા, લાઈટ હોય, ખાલી. મૂળ ભગવાનની લાઈટ ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા એ સૂક્ષ્મ હોય છે ?
દાદાશ્રી : સૂક્ષ્મય નહીં. સૂક્ષ્મ તો કારણ શરીર હોય, આ તો સૂક્ષ્મતમ. જેમ આકાશ છે ને, તે દેખાતું નથી, અનુભવમાં નથી આવતું
એવું.
પ્રશ્નકર્તા : હા, છતાંયે છે.
દાદાશ્રી : આ હાથ હું આકાશમાં વીંખું છું તો કશું થતું નથી મને, એવું. આ લાઈટમાં વીંગું છું, લાઈટને કશું થાય છે ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી એવું. તથી ચેતતતું રૂપ-આકાર, એ છે એવરલાસ્ટિંગ પ્રકાશ
પ્રશ્નકર્તા એ આત્માનું સ્વરૂપ તેજસ્વી દેખાય છે કે કંઈક આકૃતિ દેખાય છે ?