Book Title: Aptavani Shreni 14 Part 05
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 463
________________ ૩૫૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) આત્મા જે જ્ઞાતા-દ્રષ્ટા રહે, ત્યાં સિદ્ધક્ષેત્રમાં પણ એને જોવાની ક્રિયા તો કરવી પડેને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા: તો એને આખું બધું એક સાથે દેખાય ? દાદાશ્રી : સહજ સ્વભાવ, બધું દેખાય. પ્રશ્નકર્તા ઃ એક સાથે બધું દેખાય ? દાદાશ્રી : એક સાથે બધું જ દેખાય. વધઘટ થતુંય દેખાય. રાત થાય તે આ બાજુના ભાગમાં ઓછું દેખાય. અહીં આગળ સાંજે છ વાગ્યા સુધી અહીંયા લોક આવતું-જતું દેખાય. પછી આ ઉપર ઊડતા હોય પછી, જાનવરો-બાનવરો બધા એ બધું દેખાય. પછી રાત થાય એટલે ઓછા થઈ જાય. પછી રાત્રે બાર વાગે એટલે કોઈ ના દેખાય. સવારના ત્રણ-ચાર વાગે તો અંધારું થયેલું હોય તે શરૂઆત થતું દેખાય. પછી વધતું વધતું વધતું જાય તે દેખાય. એથી વધે તે દેખાય. પાછું ઘટતું ઘટતું જાય તે દેખાય. પ્રશ્નકર્તા : દાદા, તે આવું સતત જોયા કરે ? જોવાનું એ ? દાદાશ્રી : દેખાય. જોયા કરવાનું જ નહીં, દેખાય જ. પ્રશ્નકર્તા : ઑટોમેટિકલી સ્વભાવથી દેખાય ? દાદાશ્રી : સ્વભાવથી જ દેખાય. જોયા કરે તો જ્ઞાન છે. પ્રશ્નકર્તા તો એક જ ક્રિયા નિરંતરની એની રહે તો એને કંટાળો ના આવે ? જોયા જ કરે છે. આપણે ગમે એટલું સુંદર હોય, તે પાંચ મિનિટ જોયા કરવાનું હોય તોય કંટાળો આવવાનો, તો ત્યાં એને સ્વભાવથી ખાલી જોયા જ કરવાનું, પૂતળાની માફક ? દાદાશ્રી : આ લાઈટ છે, એને લાઈટ આપવામાં કંટાળો આવ્યા કરે ? પ્રશ્નકર્તા ઃ ના, એવી રીતે તો નથી આવતો. પણ એ ક્યાં જીવે

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518