________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
છે ? એ ક્યાં આત્મા છે ? એમાં આત્મા નથી. એ તો જડ છે, પેલો તો આત્મા છે. અસ્તિત્વ જુદું છે એનું.
૩૫૫
દાદાશ્રી : પણ એને સ્વાભાવિક દેખાયને, સ્વભાવથી દેખાય. પ્રશ્નકર્તા : જેનું અસ્તિત્વ છે એ જ્ઞાતા જુએ છે કે આ આવું છે, આ આવું છે. એ જુએ તો એ... !
દાદાશ્રી : ચોર ચોરી કરે એના ઉપર એ દ્વેષ ના કરે અને કોઈ દાન આપતો હોય તેની ઉપર રાગ ના કરે. કોઈ કોઈને માર માર તો હોય, ખૂન કરી નાખતો હોય તેય જુએ. એમાં રાગ-દ્વેષ નહીં કશામાંય.
પ્રશ્નકર્તા ઃ એમને વર્તમાનનું જ દેખાય છે. પછી કૃષ્ણ ભગવાન જોવા હોય તો ?
દાદાશ્રી : ના, વર્તમાનનું. ભૂતકાળનું દેખાય નહીં. વર્તમાન સિવાય કશું જુએ નહીં.
પ્રશ્નકર્તા : જે થઈ રહ્યું છે તે.
દાદાશ્રી : એ જે થઈ રહ્યું છે તેટલું જ દેખાય. અમનેય વર્તમાનનું જ દેખાય, બીજી ભાંજગડ નહીં અને તમનેય એવું કહીએ છીએ કે ભઈ, તમે વર્તમાનમાં રહો.
પ્રશ્નકર્તા ઃ એમને ઉપયોગ મૂકવાથી કંઈ જૂનું જોવું હોય તો જોઈ
શકે ?
દાદાશ્રી : ઉપયોગ મૂકી શકવાની શક્તિ જ નહીં. એની એ લાઈન જ નહીં. એમને કાંઈ એના સાસુ-સસરા જોડે ચિંતા છે તે ભાંજગડ કરે ? પ્રશ્નકર્તા : તે એ લોકો જોયા કરે તેમને દિષ્ટ ખરી ? દાદાશ્રી : આવી દૃષ્ટિ નહીં, આ તો થાક લાગે. પ્રશ્નકર્તા : તો એવી કઈ દિષ્ટ હોય એને ? દાદાશ્રી : જોવાનું જ નહીં એમને, દેખાયા જ કરે.