Book Title: Aptavani Shreni 14 Part 05
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 478
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન ૩૬૯ પોતાને ખબર તો પડેને? ધારો કે મહાવીર ભગવાન અત્યારે સિદ્ધશિલામાં છે, તો એમને પોતાને ખબર પડે કે હું જોઉ-જાણું છું ? દાદાશ્રી: પોતે જ જુએ, પોતાનો અનુભવ પોતાને વર્તે. પોતાને જ સુખ નર્યું વર્તે. આ સ્વાભાવિક સુખ અંતરાયું છેપોતાને. નર્યું પાર વગરનું સુખ છે તે આ સંસારી ઈચ્છા હોવાથી બધું આવરણ આવી ગયું છે. તે ઈચ્છાઓ ઊડી ગઈ, શરીર ઊડી ગયું, એટલે પછી નિરંતર સ્વાભાવિક સુખમાં, પરમાનંદમાં જ રહે. પ્રશ્નકર્તા અને પોતે એ જીવ જાણે ખરો કે હું પરમાનંદમાં છું જ એ ? દાદાશ્રી: પોતે, પોતે જ થઈ ગયેલો હોય તે ઘડીએ. અત્યારે પોતે જાણનારો જ નિરંતર અને જરાક ભેદ છે એનું કારણ શું કે આવરણ છે એટલે. પછી તો આ આવરણ વગર, શરીર નહીં એટલે પછી રહ્યું કંઈ ? પોતે જ. પ્રશ્નકર્તા ઃ એટલે પોતે જાણે કે હું જોઈ રહ્યો છું આખા જગતને એ જાગૃતિ રહેને ? દાદાશ્રી : એ પોતે જ જાણે. પોતે જ, બીજો રહ્યો જ નહીં. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામી સિદ્ધક્ષેત્રમાં વિચરતા રહે છે, તો શી રીતે? દાદાશ્રી : ના, એ રીતે કોઈ રહે નહીં. ત્યાં વિચરવાનું હોય નહીં. પગ-બગ કશું હોય નહીં, વિચરવાનું. વિચરવાની વસ્તુ જ નહીં ત્યાં સિદ્ધક્ષેત્રમાં. ચરવાનીય વસ્તુ નહીં ને વિચરવાનીયે નહીં અને આચરવાનુંય કશું નહીં. કશું જ ત્યાં નહીં. પ્રશ્નકર્તા : બુદ્ધિથી સમજવા જઈએ તો એ વસ્તુ સમજાય નહીં. એ તો એ ક્ષેત્રમાં હોય ત્યારે જ સમજાય. દાદાશ્રી : બુદ્ધિ પહોંચે નહીંને !

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518