________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૬૯
પોતાને ખબર તો પડેને? ધારો કે મહાવીર ભગવાન અત્યારે સિદ્ધશિલામાં છે, તો એમને પોતાને ખબર પડે કે હું જોઉ-જાણું છું ?
દાદાશ્રી: પોતે જ જુએ, પોતાનો અનુભવ પોતાને વર્તે. પોતાને જ સુખ નર્યું વર્તે. આ સ્વાભાવિક સુખ અંતરાયું છેપોતાને. નર્યું પાર વગરનું સુખ છે તે આ સંસારી ઈચ્છા હોવાથી બધું આવરણ આવી ગયું છે. તે ઈચ્છાઓ ઊડી ગઈ, શરીર ઊડી ગયું, એટલે પછી નિરંતર સ્વાભાવિક સુખમાં, પરમાનંદમાં જ રહે.
પ્રશ્નકર્તા અને પોતે એ જીવ જાણે ખરો કે હું પરમાનંદમાં છું જ એ ?
દાદાશ્રી: પોતે, પોતે જ થઈ ગયેલો હોય તે ઘડીએ. અત્યારે પોતે જાણનારો જ નિરંતર અને જરાક ભેદ છે એનું કારણ શું કે આવરણ છે એટલે. પછી તો આ આવરણ વગર, શરીર નહીં એટલે પછી રહ્યું કંઈ ? પોતે જ.
પ્રશ્નકર્તા ઃ એટલે પોતે જાણે કે હું જોઈ રહ્યો છું આખા જગતને એ જાગૃતિ રહેને ?
દાદાશ્રી : એ પોતે જ જાણે. પોતે જ, બીજો રહ્યો જ નહીં.
પ્રશ્નકર્તા : મહાવીર સ્વામી સિદ્ધક્ષેત્રમાં વિચરતા રહે છે, તો શી રીતે?
દાદાશ્રી : ના, એ રીતે કોઈ રહે નહીં. ત્યાં વિચરવાનું હોય નહીં. પગ-બગ કશું હોય નહીં, વિચરવાનું. વિચરવાની વસ્તુ જ નહીં ત્યાં સિદ્ધક્ષેત્રમાં. ચરવાનીય વસ્તુ નહીં ને વિચરવાનીયે નહીં અને આચરવાનુંય કશું નહીં. કશું જ ત્યાં નહીં.
પ્રશ્નકર્તા : બુદ્ધિથી સમજવા જઈએ તો એ વસ્તુ સમજાય નહીં. એ તો એ ક્ષેત્રમાં હોય ત્યારે જ સમજાય.
દાદાશ્રી : બુદ્ધિ પહોંચે નહીંને !