Book Title: Aptavani Shreni 14 Part 05
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 475
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) થવું અને વિનાશ થવું થાય ત્યારે કહે, શું ? ઉત્પન્ન થવું થાય ત્યારે કહે, ત્યાં આગળ બેઠા બેઠા અમે હાથ ઊંચો કર્યો એ એમને જ્ઞાનમાં ઉત્પન્ન થયું, પછી હાથને મૂકી દીધો, તે અવસ્થાનો નાશ થયો. અવસ્થા ઉત્પન્ન થવી, નાશ થવી. આ બધું જોયા જ કરે, બધું દેખાયા જ કરે. ઉત્પન્ન થાય ને નાશ થાય, ઉત્પન્ન થાય ને નાશ થાય. રાત્રે કોઈ દેખાય કશું ? અમેરિકામાં પાછું દેખાય. એમને તો બધી બાજુથી દેખાયને. પણ ત્યારે આ ખૂણામાં ના દેખાય. બધા સૂઈ ગયેલા જ દેખાય એમને, પછી ભલે તે મકાનમાં સૂઈ ગયા હોય. મકાનની આરપાર એમનું જ્ઞાન હોય. દારૂ પીને સૂતા હોય તો એ જાણે બધું. બધુંય જાણે. વિજ્ઞાન છે આ તો. નિર્વાણ થાય ત્યાં સુધી ઉપયોગ, પછી સ્વભાવ જ પ્રશ્નકર્તા : દાદા, આગળ વાત થઈ હતી કે સિદ્ધોને એમના જ્ઞાનનો ઉપયોગ કરવાની કંઈ જરૂર નહીં. ૩૬૬ દાદાશ્રી : નિરંતર ઉપયોગમાં જ હોય એ, પણ એમનો ઉપયોગ ઉપયોગ કહેવાતો નથી. ત્યાં શબ્દરૂપ નથી હોતો. દેખવું એ એમનો ધર્મ, એમને આનંદ થાય. પ્રશ્નકર્તા : એટલે એમનો ઉપયોગ અંદર જ હોય ? :: દાદાશ્રી : એમને અંદર-બહાર હોતું નથી, આપણને અંદર-બહાર હોય છે. પુદ્ગલની મહીં છે ને, તેને અંદર-બહાર હોય. પ્રશ્નકર્તા : મારો મુખ્ય પ્રશ્ન એ છે કે આનંદના પર્યાયમાં એમનું લક્ષ, એમનો ઉપયોગ હશે ખરો ? દાદાશ્રી : આનંદના પર્યાય ના હોય, એ તો જ્ઞાન-દર્શનના પર્યાય છે. આનંદ તો પિરણામ છે, જ્ઞાયક સ્વભાવનું પરિણામ છે. પ્રશ્નકર્તા : દાદા, છતાં દરેક ગુણને પર્યાય તો હોય, હોય ને હોય દાદાશ્રી : ગુણને હોય. પણ ગુણ હોય તે આ જેમ જ્ઞાયક સ્વભાવ જ.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518