Book Title: Aptavani Shreni 14 Part 05
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 415
________________ ૩૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) જાય, તો આ સંસારના નાશની તે ભાવના કરી કે સંસાર ના હો ! અને આ સંસાર એ તો આત્માનું ડેવલેપમેન્ટ છે. આત્મા મૂળ તો ડેવલપ થયેલો જ છે. આત્મા તો પોતે આત્મા જ છે પણ આ આપણી અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે, તે પદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલા છીએ. તે માન્યતાઓ ખસતી ખસતી ખસતી ખસતી મૂળ ચૈતન્યસ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા ઃ એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી જ નથી શકતો ? દાદાશ્રી : અરે, બધા ઘણા પહોંચી શકે છે ને હું મોક્ષમાં જ, અત્યારેય મોક્ષમાં જ છું. પ્રશ્નકર્તા : એવું કેમ ના બની શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે ? પોસિબલ ખરું? દાદાશ્રી : આખું જગત મોક્ષે જાય એવી ભાવના ભાવવાનો અધિકાર છે મનુષ્યને, પણ એ રૂપકમાં ક્યારેય આવે નહીં. એ રૂપકમાં ક્યારે આવશે કે મા ને છોકરો બે સરખી ઉંમરના થશે ત્યારે ! મા ને છોકરો બે સરખી ઉંમરના થશે કોઈ વખત ? જો છોકરો ને મા બે સરખી ઉંમરના જે દહાડે થાય, તે દહાડે આ જગત આખું મોક્ષે જતું રહેશે. પ્રશ્નકર્તા તીર્થકરોના સમયમાં જે આત્મા આવે, એનો જ મોક્ષ થાય કે બીજા કોઈનો ? એટલે આપના સમયમાં અમે આવ્યા, તો અમારો મોક્ષ થાય કે બીજાનો પણ થાય, બીજા સમયમાં ? દાદાશ્રી : બધાનો મોક્ષ તો થવાનો જ છે, વહેલે-મોડે. એનો ક્રમ છે. એક સમયે એકસો આઠ જીવ મોક્ષે જયા કરે છે, પ્રવાહ રૂપે. અને એકસો આઠ જીવ એટલા બહારથી આ વ્યવહારમાં આવે છે. આ વ્યવહારમાં એક જીવ વધતો-ઘટતો નથી. વ્યવહાર પરિપૂર્ણ છે. અબજો અવતારે ન મળે, તે એક ક્લાકમાં થાય કારણ મોક્ષ પ્રશ્નકર્તાદાદા, આત્માનો મોક્ષ થવાનો ઓછામાં ઓછો સમય કયો ?

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518